કળિયુગમાં આજે જ્યાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનું દિકરા અને વહુ એક બોઝ માને છે, ત્યાં વળી આ કળિયુગમાં બિહારનો એક પુત્ર અને પુત્રવધુ શ્રવણ કુમારની ભૂમિકા નિભાવી રહ્યો છે.
કળિયુગનો શ્રવણ કુમાર
દિકરા અને વહુએ કાવડમાં માતા-પિતાને તીર્થયાત્રા કરાવી
કાવડમાં ઉંચકીને 105 કિમી દૂર યાત્રા કરાવી
કળિયુગમાં આજે જ્યાં વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાનું દિકરા અને વહુ એક બોઝ માને છે, ત્યાં વળી આ કળિયુગમાં બિહારનો એક પુત્ર અને પુત્રવધુ શ્રવણ કુમારની ભૂમિકા નિભાવી રહ્યો છે. શ્રાવણના મેળામાં આ દંપત્તિ પોતાના માતા-પિતાને એવી જ રીતે તીર્થ યાત્રા પર લઈને નિકળ્યો છે, જેવી રીતે શ્રવણ કુમાર નિકળ્યો હતો. બિહારના જહાનાબાદનો રહેવાસી ચંદન કુમાર અને તેની પત્ની રાની દેવી માતા-પિતાને દેવઘર લઈ જવા માટે શ્રવણ બન્યા હતા.
સુલ્તાનગંજથી જળ ભરીને બંને દેવઘર માટે નિકળી પડ્યા હતા. ચંદન કુમારે જણાવ્યું હતું કે, અમે દર મહિને સત્યનારાયણ વ્રતનું પૂજન કરીએ છીએ અને તે દરમિયાન મનમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, માતા અને પિતાજીને બાબાધામ પગપાળાએ તીર્થ કરાવીશું, પણ માતા-પિતા વૃદ્ધ છે, તેથી 105 કિમીની યાત્રા પગપાળ શક્ય નથી.
ચંદને જણાવ્યું કે, તેના માટે મેં મારી પત્ની રાની દેવીને જણાવ્યું તો, તેણે પણ સાથ આપ્યો અને મને પણ હિંમત આપી. જે બાદ અમે બંનેએ આ કામ કરવાનું નક્કી કર્યું, તેના માટે માતા-પિતાની મંજૂરી લીધી અને કાવડ યાત્રા લઈને અમે નિકળી પડ્યા. ચંદને જણાવ્યું કે, ત્યાર બાદ મેં નિર્ણય લીધો કે, માતા-પિતાને અમે કાવડમાં બેસાડીને પોતાના ખભ્ભે ઊંચકીને સફળ તીર્થયાત્રા કરાવીશું. આ દરમિયાન મેં એક મજબૂત કાંવડ તૈયાર કરાવી અને રવિવારે સુલ્તાનગંજથી જળ ભરીને અમે માતા અને પિતાજીને બેસાડીને યાત્રા શરૂ કરી.
કાવડના આગળના ભાગને પુત્રએ પોતાના ખભ્ભા પર ઉંચકેલો હતો અને પાછળના ભાગે પત્ની રાની દેવી સાથ આપી રહી હતી. તેમણે જણાવ્યું કે, આ લાંબી યાત્રામાં સમય જરૂર લાગશે, પણ અમે તેને ચોક્કસથી પુરી કરીશું.
વહુએ પણ જણાવ્યું કે, પતિના મનમાં ઈચ્છા થઈ અને મને તેના માટે ભાગીદાર બનાવી. અમે લોકો ખુશ છીએ કે, મારા સાસુ-સસરાને બાબાધામની યાત્રા કરાવવા નિકળ્યા છીએ અને લોકો પણ અમને હિમ્મત આપી રહ્યા છે અને અમારા વખાણ કરી રહ્યા છે. રાનીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ સારુ લાગી રહ્યું છે. ચંદનની માતાએ જણાવ્યું હતું કે, અમે તો ખાલી આશીર્વાદ જ આપી શકીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, મારા પુત્રને સબળ બનાવજો. આવા સમયે જ્યારે દિકરાઓ પોતાના માતા-પિતાને ઘરમાંથી કાઢી મુકતા હોય છે, ત્યારે એક પુત્ર અને પુત્રવધુ શ્રવણ બનીને 105 કિમી દૂર યાત્રા કરાવવી સાચ્ચે જ અકલ્પનિય લાગે છે.