મોદી સરકાર તેના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. જેમા તે તેના જૂના સહયોગી શિવસેનાને પણ મંત્રીમંડળમાં શામેલ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેથી કોંગ્રેસમાં હવે ચિંતાના વાદળો ઘેરાયા છે.
શિવસેના નવા મંત્રીમંડળમાં શામેલ થાય તેવી શક્યતા
ગઠબંધન વાળી સરકાર પડી ભાંગે તેવા એંધાણ
ભાજપ બે ઉપ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે તેવી સંભવના
મોદી સરકારના આ બિજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તેના જુના સહયોગી શિવસેનાને પણ હવે નવા મંત્રીમંડળમાં શામેલ કરી શકે છે. જોકે હજુ સુધી આ મામલે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી આપવામાં નથી આવી, પરંતુ ફેરબદલી થાય તેની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
નવા મંત્રીમંડળની યાદી તૈયાર
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીમંડળની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. જો શિવસેના પણ મંત્રીમંડળમાં શામેલ હશે તો મહારાષ્ટ્રની ગઠબંધન વાળી સરકાર પડી જાય તેવી પૂરી શક્યતા છે. આજ કારણ છે કે શિવસેનાને ફરી શામેલ કરવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજ રહેશે
શિવસેનાના નેતા સંજય રાઉતનું વલણ વડાપ્રધાન મોદી સાથે ઘણુ નરમ છે. જેથી સમજૂતી થઈ તો એવી શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરેનેજ મુખ્યમંત્રી રાખવામાં આવશે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવી લેવામાં આવશે. જોકે આ મામલે હજુ સુધી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કે ફડણવીસ દ્વારા કોઈ પ્રતિક્રીયા આપવામાં નથી આવી.
શિવસેના કોંગ્રેસ પ્રત્યે નારાજ
ભાજપ દ્વારા બે ઉપ મુખ્યમંત્રીની નિયુક્તી કરવામાં આવી શકે છે. જોકે શિવસેના તેના સદસ્યોની તપાસ કરી રહેલી એજન્સીઓથી પરેશાન છે. સાથેજ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ નાના પટોલે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તેઓ એકલા ચૂંટણી લડશે અને મુખ્યમંત્રી બનશે. જેના કારણે શિવસેના તેમનાથી ઘણી નારાજ છે.
28 નવા મંત્રી શામેલ થાય તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા નેતાઓને મંત્રીમંડળમાં શામેલ કરી શકે છે. વર્તમાન મંત્રીમંડળમાં કુલ 53 મંત્રી છે. જોકે સંવિધાન પ્રમાણે 81 મંત્રી બનાવી શકાય છે. જેથી કુલ 28 નવા મંત્રીઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.