આણંદ જિલ્લાના અભેટાપુરા ગામમાં પીપલી લાઈવ જેવા દ્રશ્યો સર્જાયા છે, લોકોની આંધળી દોટ કહો કે આસ્થા પણ અભેટાપુરા ગામ આજે ગલીએ ગલીએ શિવલિંગને કારણે ચર્ચાઈ રહ્યું છે
આસ્થાનું ધામ બન્યું અભેટાપુરા
18 જૂને તળાવમાંથી પ્રગટયું સ્વયંભૂ શિવલિંગ
દરરોજ ઉમટે છે હજારો લોકો
આસ્થા અને શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી.. એ વાતને સાબિત કરે છે આણંદ જિલ્લાના અલારસા અને પીપળી ગામ વચ્ચે આવેલા અભેટાપુરાનું વર્ષો જૂનુ તળાવ.. જે અભેટાપુરમાં કોઈ ચકલુ પણ ફરકતું ન હતું. આજે ત્યાં દરરોજ હજારો લોકો પહોંચી રહ્યા છે.. લોકોની મુલાકાત આસ્થા સાથે જોડાયેલી છે.. અને આસ્થા છે શિવજીના શિવલિંગની..
18 જૂને તળાવ ખોદકામ કરતાં મળી આવ્યું હતું શિવલિંગ
18 જૂને અહીં ચમત્કાર થઈ ગયો.. થયું એમ કે વરસાદ પહેલા તળાવ ખોદવામાં આવ્યું હતું.. રાત્રીના સમયે વરસાદ થતાં 18 જૂને સ્થાનિક 4 યુવાનો તળાવમાં પાણી ભરાયું કે નહીં તે જોવા ગયા હતા.. જ્યાં એક મોટી પ્રતિકૉતિ દેખાઈ જ્યારે યુવાનોએ એક મહારાજને પૂ]ષયું તો તેમને કહ્યું કે આ વર્ષો જૂનું શિવલિંગ છે. બસ પછી તો શું વાયુ વેગે આ વાત ફેલાઈ અને જોત જોતામાં તો ગ્રામજનો અહી જોવા માટે ઉમટી પડયા.. તળાવની ભેખડમાં જે શિવલિંગ આકાર દેખાયો ત્યાં લોકોએ હાર ચઢાવીને દીવા અગરબત્તી કરીને પૂજા પણ કરી..
પીપલી લાઈવ ફિલ્મ જેવા દ્રશ્યો
અભેટાપુરાના તળાવમાં હવે પીપલી લાઈવ જેવા દ્રશ્યો સર્જાયા.. શિવલિંગ જેવો ભેખડનો આકાર જેને લોકો શિવલિંગ માનીને પૂજવા લાગ્યા..હવે માત્ર અભેટાપુરા જ નહીં પણ તેની આસપાસના ગામડાઓથી પણ દરરોજ હજારો લોકો અહીં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.15થી 17 ફૂટના આ શિવલિંગ પર શ્રદ્ધા પૂર્વક કોઈ હાર ચઢાવે છે તો કોઈ શ્રીફળ ચઢાવે છે. થોડા સમય શિવલિંગ સામે બેસીને ભજન-િકર્તન પણ કરે છે.. હવે તો લોકો છેક રાજકોટ, સુરત અને કચ્]થી પણ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે..
શિવલિંગનું મહાભારત સાથે કનેક્શન
ગ્રામજનોમાં હવે એવી પણ ચર્ચા છે કે મહાભારત કાળ સમયે આ જગ્યા હેડમ્બા વન તરીકે જાણિતી હતી. પાંડવકાળમાં તેમણે કદાચ શિવલિંગની સ્થાપના કરી હોય એવી માન્યતા છે. એવી પણ ચર્ચાઓ છે કે તળાવમાં બે વર્ષ પહેલા માટીનું ખોદકામ શરૂ કર્યું હતું. તે સમયે JCB મશીન પણ તૂટી ગયું હતું.. અને માટી ભરેલું ડમ્પર પણ તળાવમાં ખાબક્યું હતું.. ત્યાર બાદ અહીં ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.. પણ તે સમયે આ શિવલિંગ કોઈને નહોતું દેખાયું.. બે વર્ષ બાદ 18 જૂને સ્થાનિકના ધ્યાને ભેખડમાં જોડાયેલી પ્રતિકૃતિ સામે આવી અને ગણતરીના દિવસમાં અભેટાપુરાનું આ સ્થળ આસ્થાનું કેદ્ર બની ગયું..
શિવલિંગ સ્થળે શરૂ થયુ બજાર
સ્વયંભૂ શિવલિંગની વાત વાયુવેગે ફેલાતા ભક્તોનો ધસારો વધ્યો અને હવે તેનાથી સ્થાનિકોને રોજગારી મળી રહી છે. દરરોજ ચારતી પાંચ હજાર લોકો આવતા સાંજ સવાર આરતી થાય છે. સોમવારે હજારો રૂપિયાનો પ્રસાદ વેચાય છે.. અહીં ચા-નાસ્તા અને ખાણી-પીણીના સ્ટોલ પણ ઉભા થઈ ગયા છે.. સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તક ઉભી થઈ છે. સ્થાનિક કેટલાક યુવાનો જે પહેલા ખેતી કામ કરતા હતા.. જોકે હવે અહીં ચા-પાણી અને નાસ્તાના સ્ટોલ કરીને રોજગારી મેળવી રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકોના મતે શિવલિંગ હોય કે ન હોય અહીં મંદિરનું શિલાન્યાસ થવું જોઈએ..