શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી. જો કે નૌશેરા એન્કાઉન્ટર સમયે મહારાષ્ટ્રનો એક જવાન શહીદ થયો હતો. જવાનની શહાદતને લઈને શિવસેનાએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા અને સરકારની કાશ્મીર નીતિને લઈને પણ પ્રશ્નો કર્યા હતા.
સામનામાં સરકાર પર નિશાન, કાશ્મીર મામલે કર્યો પ્રહાર
કાશ્મીરમાં આતંકી હુમલા યથાવત, સમાચાર પર નિયંત્રણ
બંદૂકોનો અવાજ બંધ નથી થતોઃ સામના
શિવસેના ફરી એકવાર સામનામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખત કશ્મીર મામલે સામનાએ સરકાર પર પ્રહાર કર્યા. સામનામાં શિવસેનાએ લખ્યું કે કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સારી નથી થઈ. ત્યાં કલમ 370 હટાવી લીધી તેમ છતાં આતંકી હુમલા થઈ રહ્યા છે. એટલું જ નહીં કાશ્મીરમાં હુમલાના સમાચાર આપવા પર નિયંત્રણ લગાવી દીધો છે. પણ બંદૂકનો અવાજ ન દબાવી શકાય. અવાજને આનંદનો ચિત્કાર બતાવવામાં આવી રહ્યો છે.
બોર્ડર પર આતંકી હુમલા દેશના સ્વાસ્થ્ય માટે હાનિકારક છેઃ સામના
કાશ્મીરથી માત્ર જવાનો શહીદ થાય તેની જ ખબર મળે છે. કારણ કે પાર્થિવદેહને વતનમાં મોકલવાની પ્રથા છે. જો આ પ્રથા ન હોત તો જવાનો શહીદ થાય છે તે ખબર પણ દબાઈ જાત. સરકારને સર્જિકલ સ્ટ્રાઈકથી પાકનું મનોબળ તૂટશે એવો ભ્રમ હતો. પણ તે ભ્રમ તૂટી ગયો છે. સ્ટ્રાઈક બાદથી આતંકી હુમલા વધી ગયા છે. શિવસેનાએ વધુમાં લખ્યું કે બોર્ડર પર આતંકી હુમલા દેશના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાશ્મીરમાં સંચાર સુવિધાઓ શરૂ થઈ નથી. 31 ડિસેમ્બરની મધરાત્રિએ SMS સેવા શરૂ કરવામાં આવી પણ ઈન્ટરનેટ સેવા હજુ પણ બંધ છે.
370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે
સામનાએ લખ્યું 5 ઓગસ્ટે આર્ટિકલ 370 રદ કર્યા બાદ કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે તેને સમજવું પડશે. ફક્ત લડાઈમાં જવાન શહીદ થયા છે અને તેની સૂચના મળતી રહે છે. કોલ્હાપુરમાં જવાન જ્યોતિબા શહીદ થયા. મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ અનેક વાર સીમા પર શહીદ થયેલા ડવાનના પાર્થિવ દેહ ગામ પહોંચે છે અને નિયમ અનુસાર અંતિમ સંસ્કારના ન્યૂઝ આવે છે.
લોકોના મનમાં વધી રહયો છે આક્રોશઃ સામના
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, 'વડા પ્રધાન મોદી અથવા ગૃહમંત્રી શાહ જે કહે છે તે સાચું છે અને ભારતીય સૈન્ય નહીં પણ કાશ્મીરમાં પાકિસ્તાનીઓના લોહી વહી રહ્યા છે તેવા સમાચાર ફેલાવીને સત્યને નકારી શકાય નહીં, કારણ કે સંદીપ સાવંત ત્રિરંગામાં લપેટાયેલા સૈનિકોની લાશ દરેક ગામમાં પહોંચી રહી છે અને લોકોના મનમાં રોષ વધી રહ્યો છે. કાશ્મીરમાં લોહીલુહાણ અને શહીદ સૈનિકોના પરિવારજનોનો રોષ બેચેન કરે છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની આતંકીઓનું મનોબળ તૂટી જશે, આ વાત મનમાંથી બહાર નીકળી રહી છે. તેનાથી વિપરીત, હવે મોટી સંખ્યામાં હુમલાઓ થઈ રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી સરકારે પાકિસ્તાનને ઠંકાણે લાવવા માટે પ્રહાર કર્યો છે. પાકિસ્તાન દ્વારા દરરોજ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
કોઈ અઠવાડિયું નથી જ્યાં પાકિસ્તાન સીઝફાયર તોડતું ન હોય
સામનામાં લખાયું છે કે ક્યારેક પૂંછ, ક્યારેક રાજૌરી, તો ક્યાંક અન્ય જગ્યાએ. હિંદુસ્તાની જવાનો પર પાકિસ્તાની સેનાની તરફથી હુમલો કરવામાં આવે છે. જમ્મૂ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સીમાથી અડીને રહેલા ગામમાં પાકિસ્તાનની તરફથી અડધી રાતે ગોળીબાર કરવામાં આવે છે. તેમાં હિંદુસ્તાની જવાન શહીદ થઈ જાય છે. રોજ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહે છે અને જવાન શહીદ થઈ રહ્યા છે.