લોકસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ હવે મહારાષ્ટ્રમાં પક્ષના સૌથી મોટા સહયોગી અને ભાગીદાર શિવસેનાએ મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મુખ્યપ્રધાન બનશે એવી વાત કહેવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામનામાં લખ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યપ્રધાન બનશે.
મુંબઇઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ હવે મહારાષ્ટ્રમાં પક્ષના સૌથી મોટા સહયોગી અને ભાગીદાર શિવસેના (Shiv Sena) એ મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મુખ્યપ્રધાન બનશે એવી વાત કહેવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામનામાં લખ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યપ્રધાન (Chief minister) બનશે.
શિવસેનાએ વધુમાં જણાવ્યું છે કે શિવસેનાનું ભલે ભાજપ સાથે ગઠબંધન હોય, પરંતુ શિવસેના પોતાનાં જ તેવરવાળું સંગઠન ધરાવે છે અને સંકલ્પ સાથે આગળ વધી રહી છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે શિવસેના એટલે શું? આ વાતનો મહારાષ્ટ્ર અને દેશને જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને છેલ્લાં પ૩ વર્ષમાં શિવસેના એટલે શું? નો અનુભવ થઇ ચૂકયો છે. મરાઠી માનુષ અને હિંદુત્વ માટે ૧૯ જૂનને સૌભાગ્ય દિવસ માનવો જોઇએ.
શિવસેનાએ લખ્યું છે કે ૧૯ જૂનના દિવસે શિવસેના નામનાં એક તોફાનનો જન્મ થયો હતો. તોફાન અને વાવાઝોડાં અવારનવાર આવતાં જતાં રહે છે, પરંતુ શિવસેના નામનું તોફાન છેલ્લા પર-પ૩ વર્ષથી સતત ઉભરા પર છે. કમસે કમ નવી પેઢીએ શિવસેનાની સ્થાપનાનો ઇતિહાસ જાણવો જોઇએ. સ્થાપનાનાં સમયનો ઉગ્ર માહોલ આજે મહારાષ્ટ્રમાં નથી. મુંબઇની લડાઇ અને સંયુકત મહારાષ્ટ્ર આંદોલન જેવા વિષયો સાથે જેમને કોઇ નિસ્બત નથી તેવી પેઢી આજે રાજનીતિમાં છે. એટલા માટે જે મરાષ્ઠી અસ્મિતા માટે શિવસેનાની સ્થાપના થઇ હતી અને શિવસેનાના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેએ જીવનનાં પ૦ વર્ષની આહુતિ આપી હતી તે ત્યાગ, સંઘર્ષ અને ઉતાર ચઢાવ નવી પેઢીએ જોયો નથી.