શિવસેનાના એક નેતાએ લખનૌમાં કમલેશ તિવારીની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ ત્રણ લોકોના સર કલમ કરનારા માટે એક કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, હિન્દુસભાના નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યા મામલે ATSએ સુરતમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે.
શિવસેનાના નેતાની હત્યારાઓનું સર કલમ કરવા માટે ઇનામ આપવાની જાહેરાત
આ હત્યા એ 'હિન્દુઓ માટે બોલશે તેમને ખતમ કરી દેવામાં આવશે' તેવો સંદેશ
આ હત્યા મામલે ATSએ સુરતમાંથી 3 આરોપીઓની ધરપકડ કરાઇ ચૂકી છે
શિવસેનાના નેતાએ એક વીડિયોમાં નિવેદન આપતા કહ્યું કે, મારૂ માનવું છે કે કમલેશ તિવારની ક્રૃરતાથી હત્યા કરનારા લોકો વિરૂદ્ધ કોઇ કાયદાકિય પ્રક્રિયાનું પાલન ન કરવું જોઇએ. તેમનું તે પ્રકારે જ સર કલમ કરવું જોઇએ. હું અરૂણ પાઠક, હત્યારાઓનું સર કલમ કરવા માટે એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરૂ છું. આ પૈસા તેમના પરિવારના સભ્યોને આપવામાં આવશે.
શિવસેનાના નેતાએ કહ્યું કે, તિવારીની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ હિન્દુઓના પક્ષમાં બોલી રહ્યા હતા અને તેમની હત્યા એ સંદેશ આપવાની કોશિશ છે કે જે પણ હિન્દુઓ માટે બોલશે તેમને ખતમ કરી દેવામાં આવશે. પાઠકે જાહેરાત કરી કે, અમે ભારતમાં આ નહીં થવા દઇએ.
હિન્દુ સમાજ પાર્ટીના પ્રમુખ કમલેશ તિવારીની શુક્રવારે લખનૌમાં હત્યા કરી દેવાઇ. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે તિવારી હિન્દુ મહાસભાના પૂર્વ નેતા હતા અને સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદમાં અપીલ કરનાર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. જેમાં મૌલાન મોહસિન શેખ, ખુર્શીદ અહમદ પઠાણ અને ફૈઝાન સામેલ છે. તેમણે તિવારીના 2015માં અપાયેલ ભાષણ દરમિયાન વિવાદીત ટિપ્પણીઓને લઇને હત્યા કરી હતી.