સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટીઝમનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સિતારાઓ ખુલીને સામે આવી રહ્યાં છે અને પોતાના અનુભવો કહી રહ્યાં છે. ત્યારે ભાભીજી ઘર પર હૈથી ધરે ધરે જાણીતી બનેલી શિલ્પા શિંદેએ પણ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તે પણ નેપોટીઝમનો ભોગ બની છે.
નેપોટીઝમ દરેક જગ્યાએ છે
શિલ્પાનો ખુલાસો
ડિપ્રેશનમાં હતી શિલ્પા
શિલ્પાએ કહ્યું કે તે નેપોટીઝમ વિક્ટીમ તરીકેનુ બેસ્ટ એક્ઝામ્પલ છે. તેને શૉ નિર્માતાઓની નોટિસ આવતી હતી કે શિલ્પાના લીધે નુકસાન થયુ છે અને તે પૈસાથી ભરપાઇ કરે.
બિગબોસ સિઝન 11ની વિનર શિલ્પા વાત કરતા કરતા દુખી થઇ ગઇ હતી અને જણાવ્યુ હતુ કે કઇ જગ્યાએ નેપોટીઝમ નથી ડૉક્ટરનો દિકરો ડૉક્ટર બને છે અને એક્ટરનો દિકરો એક્ટર. ભેદભાવ દરેક જગ્યાએ થાય છે અને તે ભેદભાવનો ભોગ તે બની ચૂકી છે.
શિલ્પાએ વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યા સુધી વ્યક્તિ તમારી સાથે હોય છે, મુશ્કેલીમાં હોય છે ત્યારે તમે તેને સમજતા નથી અને તેના ગયા પછી સહાનુભૂતિ જતાવો છો. તેણે એમ પણ કહ્યું હતુ કે, ટીવીના સિનિયર એક્ટર જુનિયર એક્ટર પર સિનિયોરીટી ઝાડે છે.
થોડા દિવસ પહેલા વિકાસ ગુપ્તાએ એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તે ડિપ્રેશનનો ભોગ બનેલા વ્યક્તિઓના નામ બોલ્યા હતો. તેમાંથી એક નામ શિલ્પા શિંદેનું પણ હતું. શિલ્પાને પૂછવા પર તેણે ડિપ્રેશન બાબતે કહેવા ઇન્કાર કરી દીધો હતો.
હાલમાં શિલ્પા તેની માતા સાથે સમય વિતાવી રહી છે. શિલ્પાની માતાનો અકસ્માત થતા તેમની સંપૂર્ણ જવાબદારી શિલ્પા પર છે.