સુશાંત સિંહ રાજપૂતનું નિધન બોલિવૂડમાં થયેલા અવસાનોમાં સૌથી વધારે દર્દનાક રહ્યું હતું. તેમની આત્મહત્યા હતી કે હત્યા તે પઝલ નિધનના 6 મહિના બાદ પણ નથી સોલ્વ થઇ. સુશાંતનો કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો હતો પરંતુ તેનો પણ ખાસ ફાયદો ન થયો અને હવે તેના ફેન્સની આશા પણ ધીરે ધીરે ટૂટતી નજર આવી રહી છે. આ મુદ્દે શેખર સુમને રિએક્ટ કર્યુ છે.
શેખર સુમને આપ્યુ નિવેદન
સુશાંતની મોતને 6 મહિના પૂર્ણ
સુશાંતની આત્મહત્યા કે હત્યા
https://t.co/Bbh8Tq0oua wd be exactly half a year since SSR left dis world and yet we await d final verdict.Who r the culprits?N why r we all still crying 4 justice?Is there any hope left?Tom.let's each one of us unitedly raise our voices.#SSRDigitalProtest
શેખર સુમને કર્યુ રિએક્ટ
શેખર સુમન પહેલા પણ સુશાંત કેસમાં પોતાનું નિવેદન આપી ચૂક્યા છે અને જ્યારે 6 મહિને પણ તેના કેસમાં કોઇ નિર્ણય નથી આવ્યો ત્યારે તેમણે ફરી એક વાર રિએક્ટ કર્યુ છે. તેમણે લખ્યું કે, કાલે સુશાંતને 6 મહિના પૂર્ણ થઇ જશે અને અત્યાર સુધી આપણે ફાઇનલ વર્ડિક્ટની જ રાહ જોઇ રહ્યાં છીએ. કોણ દોષી છે તેનાથી કોઇને કંઇ ફર્ક નથી પડી રહ્યો. તો આપણે શા કારણે સુશાંતને ન્યાય અપાવવા માટે આટલુ રોઇ રહ્યાં છીએ.
https://t.co/Bbh8Tq0oua wd be exactly half a year since SSR left dis world and yet we await d final verdict.Who r the culprits?N why r we all still crying 4 justice?Is there any hope left?Tom.let's each one of us unitedly raise our voices.#SSRDigitalProtest
શેખરે ન ઉજવ્યો જન્મદિવસ
ઉલ્લેખનીય છે કે સુશાંતના મોત બાદ શેખ સુમનને ઘણુ દુઃખ થયુ હતુ અને તે એક્ટરને ન્યાય અપાવવા માટે આગળ ઉભા રહ્યાં છે. 7 ડિસેમ્બરે શેખરનો જન્મ દિવસ હતો પરંતુ તેમણે તે પણ ઉજવવાની ના પાડી દીધી હતી.
સુશાંતની મોત
14 જૂન 2020ના દિવસે સુશાંતે પોતાના મુંબઇ સ્થિત અપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. જે બાદથી જ એક્ટરની મોત જાણે એક પઝલ બની ગઇ છે.
સુશાંતનો કેસ મુંબઇ પોલિસ બાદ ઇડીએ હેન્ડલ કર્યો અને બાદમાં સીબીઆઇ પાસે પહોંચ્યો હતો. એનસીબી જ્યારથી સુશાંતના કેસમાં ઇનવોલ્વ થયુ ત્યારથી બોલિવૂડમાં રહેલા તમામ નાના મોટા કલાકારોના ઘર પર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. જેમાં રિયાથી દિપીકા, સારા, ભારતી સિંહ પણ સામેલ હતા.