બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / sheikh mohamed bin zayed al nahyan will be the next president of the uae

જાહેરાત / BIG NEWS: શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન બનશે UAEના આગામી રાષ્ટ્રપતિ

Kavan

Last Updated: 04:15 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન બનશે UAEના આગામી રાષ્ટ્રપતિ

  • શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન બનશે UAEના આગામી રાષ્ટ્રપતિ
  • શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન બાદ ખાલી પડી હતી ખુરશી
  • UAE સહિત ભારતમાં પણ રાજકીય શોકની કરાઈ છે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ બાબતોના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનું નિધન પર દુખ વ્યક્ત કરી 40 દિવસના શોક રાખવાની ઘોષણા કરી છે.

શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન UAEના આગામી રાષ્ટ્રપતિ બનશે

સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું શુક્રવારના રોજ નિધન થઈ ગયુ હતુ, જેના બાદ રાષ્ટ્રપતિની ખુરશી ખાલી થઈ ગઈ છે. હવે શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાન UAEના આગામી રાષ્ટ્રપતિ બનશે. 13 મે ના રોજ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબૂ ધાબીના શાસક હિજ હાઈનેસ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનનો નિધન થઈ ગયુ હતું

UAEમાં 40 દિવસનો રાજકીય શોક

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મામલાના મંત્રાલયે રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર દુખ વ્યક્ત કરતા 40 દિવસના શોકની જાહેરાત કરી હતી. આ સિવાય તમામ મંત્રાલયો અને પ્રાઈવે સેક્ટરમાં ત્રણ દિવસ કામકાજ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

ભારતમાં પણ રાજકીય શોક 

ઉલ્લેખનીય છે કે, દિવંગત શેખના માનમાં આજે ભારતમાં રાજકીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. સંદેશા અનુસાર, એક દિવસીય રાજકીય શોક દરમિયાન, સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને આજે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.

73 વર્ષની વયે અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું થયું છે નિધન 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના નેતૃત્વમાં ભારત-UAE સંબંધો સમૃદ્ધ થયા છે. નાહયાનનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. શેખ ખલીફા 3 નવેમ્બર, 2004થી યુએઈના પ્રમુખ અને અબુ ધાબીના શાસક તરીકે સેવા આપી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ