પીએમ મોદી બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર બે દિવસના પ્રવાસ પર બાંગ્લાદેશમાં છે.
પીએમ મોદીના ભાષણને લઈને કેટલાક લોકોએ લગાવ્યા હતા આરોપ
શશી થરૂરે સાંજે આરોપ લગાવ્યા અને સવારે માફી માંગી
પીએમ મોદીએ ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ ન કર્યા હોવાનો કેટલાક નેતાઓનો છે આરોપ
શું છે આખો મામલો?
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ પર છે. બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ પૂર્ણ થવા પર ઢાકામાં આયોજન કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની આઝાદીના આ અવસર પર પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું અને તેમના ભાષણમાં તેમણે પોતે પણ બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીના ભાષણનો ભારતમાં સોશ્યલ મીડિયામાં કેટલાક નેતાઑએ વિરોધ કરતાં કહ્યું કે પીએમ મોદીએ ઇન્દિરા ગાંધી વિશે તો કહ્યું જ નહીં. કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ આ મુદ્દે ટ્વિટ કરી નાંખ્યું. જોકે સત્ય જાણવા મળ્યું ત્યારે થરૂરે માફી માંગી છે.
ટ્વિટ કરીને કહ્યું : સોરી
કોંગ્રેસ નેતા શશી થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્રના બાંગ્લાદેશ યુદ્ધ પર થયેલા ભાષણ બાદ માફી માંગી છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું કે ઉતાવળમાં આવીને હેડલાઇન વાંચ્યા બાદ ટ્વિટ વાંચીને મેં ટ્વિટ કરી નાંખ્યું હતું. શશી થરૂરે સવારે પીએમ મોદીના ભાષણ વિશે ટ્વિટ કરતાં કહ્યું કે જૉ હું ખોટો હોવ તો મને સ્વીકારવામાં ખોટું નથી લાગતું. ગઇકાલે ઉતાવળમાં આવીને મેં હેડલાઇન વાંચીને જ ટ્વિટ કરી નાંખ્યું હતું. પીએમ મોદીએ ઈન્દીરા ગાંધીના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. સોરી.
સાંજે શું ટ્વિટ કર્યું હતું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભાષણના હિસ્સાને ટ્વિટ કરતાં થરૂરે કહ્યું હતું કે અમારા પ્રધાનમંત્રી ફેક ન્યૂઝનો સ્વાદ ચખાડી રહ્યા છે. આખી દુનિયા જાણે છે કે બાંગ્લાદેશને કોણે આઝાદ કરાવ્યું હતું.