બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે, કેટલાય સમયથી રાજકીય વનવાસ વેઠી રહેલા શરદ યાદવે લાલૂ પ્રસાદ સાથે ગઠબંધન કરીને પોતાની પાર્ટીનું વિલય કરી નાખ્યું છે.
બિહારના રાજકારણ માટે મોટા સમાચાર
બે ધૂરંધરો એક થયાં
શરદ યાદવ અને લાલૂ યાદવ એક થયાં
પોલિટિકલ એક્ઝાઈલ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ રાજકારણમાં આવા સપના જોતા જ ભલભલા નેતાઓની ઉંઘ હરામ થઈ જાય છે, અને થવી પણ જોઈએ કારણ કે, જો આપ રાજકારણમાં છો અને આપ વનવાસ વેઠી રહ્યા છો, તો ટેન્શનમાં રહેવુ સ્વાભાવિક વાત છે. એમાંયે પાછુ શરદ યાદવ જેવું નામ હોય અને મધ્ય પ્રદેશના રહેવાસી હોય. પણ એક સમયે બિહારના રાજકારણમાં તેમનો એવો સિક્કો ચાલતો કે, મધેપુરાથી સાત વાર લોકસભા પહોંચ્યા હતા. ત્યાર બાદ નીતિશ NDAમાંથી બહાર જતાં રહ્યા અને શરદ યાદવે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેતા મહાગઠબંધનમાં શામેલ થવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે નીતિશ 2017માં પાછા ભાજપમાં આવ્યો તો, શરદ ઋતુ બાદ ભયંકર ગરમી આવી હોય તેવો નજારો આવ્યો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, શરદ યાદવનો રાજકીય વનવાસ શરૂ થઈ ગયો. હવે શરદ યાદવ પણ આ વનવાસને ભોગવીને થાકી ચુક્યા છે. કોઈ મોટી પાર્ટી પણ નથી અને કોઈ ભાવ પણ પુછતું નથી. તેથી નવા પદ અને મોભાની શોધમાં પોતે ઉભી કરેલી પાર્ટીનું વિલય કરી નાખ્યું.
શરદ યાદવ લાલૂ સામે સષ્ટાંગ થયાં
શરદ યાદવે પોતાની પાર્ટી લોકતાંત્રિક જનતા દળનું વિલય આજે એટલે કે, 20 માર્ચના રોજ સત્તાવાર રીતે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં કરી નાખ્યું છે. જેડીયુથી અલગ થઈને શરદ યાદવે 2018માં પોતાની પાર્ટી બનાવી હતી. જાણકારી અનુસાર, હાલમાં રાજકીય સ્થિતિને જોતા શરદ યાદવે આ નિર્ણય લીધો હોય જેથી વેરવિખેર થયેલા જનતા પરિવારને ફરીથી એક કરી શકાય અને ખુદની ખોવાયેલી રાજકીય શખ્સિયતને પાછી મેળવી શકાય. આ બાદૂ શરદ યાદવને હાઈકોર્ટ તરફથી ફાળવાયેલા બંગલો પણ ખાલી કરવાનો આદેશ મળી ગયો છે.
RJDની સીટોના સપના જોઈ રહ્યા છે શરદ યાદવ
સૂત્રો બતાવી રહ્યા છે કે, શરદ યાદવને લાલૂ રાજ્યસભામાં પહોંચાડી શકે છે. હકીકતમાં બિહારમાં આ જૂલાઈમાં રાજ્યસભાની પાંચ સીટો ખાલી થશે. તેમાંથી બે સીટો ભાજપની અને એક સીટ જેડીયૂ પાસે જશે. જ્યારે બાકીની બે સીટો આરજેડી પાસે જશે. ત્યારે આવા સમયે માનવામાં આવે છે કે, શરદ યાદવને આરજેડી રાજ્યસભામાં મોકલી શકે છે. આ અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં લાલૂ યાદવને નવી દિલ્હીમાં શરદ યાદવ સાથે મુલાકાત કરી હતી, જે બાદ કેટલીય અટકળો લગાવામાં આવી હતી. જો કે, મીડિયા સાથે વાત કરતા લાલૂએ કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, શરદ યાદવની તબિયત ઠીક નથી રહેતી અને તેમના સાંસદ ન રહેવાથી સંસદ હવે સૂની લાગી રહી છે.
JDUના શરદ યાદવ પર આકરા કટાક્ષ
આરજેડીમાં વિલય બાદ શરદ યાદવ પર જેડીયુએ આકરાં પ્રહારો કર્યા હતા. જેડીયુના ફાયરબ્રાન્ડ નેતા નિખિલ મંડળે ટ્વિટ કરીને કહ્યું કે, જિંદગીભર વોટ મધેપુરાથી, રાજકીય કદ મધેપુરાથી અને પોતાના મધેપુરાવાળો બંગલો છોડીને સરકારી બંગલાના મોહમાં રાજકીય સમાધાન કરી લીધું. આપે કોંગ્રેસ વિરુદ્ધ રાજનીતિ કરી, પણ દિકરી અને વેવાઈને કોંગ્રેસમાંથી ટિકિટ અપાવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ હતા, પણ આજે તમે જ ભ્રષ્ટાચારમાં ડુબકી લગાવી દીધી.