મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર બનાવાને લઇને ઉલટફેર થઇ ગયો છે. જે NCP કોંગ્રેસ અને શિવસેનાના સાથે મળીને સરકાર બનાવાનો દાવો કરી રહી હતી અને ઉદ્ધવ ઠાકરેને CM બનાવા પર સહમત થઇ ગઇ હતી. જો કે NCP એ અચાનક BJP સાથે ગઠબંધન કરી લીધુ. જેને લઇને આજરોજ સવારે દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા. જ્યારે શરદ પવારના ભત્રીજા અજિત પવારે ડે. સીએમના શપથ લીધા.
જો કે પહેલા એવા અહેવાલ મળ્યા હતા કે આ રાજકીય ઘટનાક્રમમાં NCP શરદ પવારની સંમતિ હતી અન તેમની સહમતિ બાદ જ BJP અને NCP વચ્ચે ગઠબંધનની સરકાર બનાવાનો રસ્તો ક્લિયર થઇ ગયો. જો કે હવે શરદ પવારે આ ઘટનાક્રમથી પોતાનો અલગ કરી દીધા, પરંતુ મહારાષ્ટ્રમાં અચાનક મોટો ઉલેટ થતાં રાજકીય માહોલમાં તમામ પ્રકારની અટકળો લગાવામાં આવી રહી છે.
શું શરદ પવારે 1991નો બદલો લીધો?
શરદ પવારે આ દિવસોમાં ભલે પોતાની જાતને સક્રિય રાજકારણથી અલગ કરી લીધા હોય, પરંતુ 1991ના ઘટનાક્રમને કેવી રીતે ભૂલી શકે છે, જ્યારે પોતે પ્રધાનમંત્રી પદની રેસમાં સામેલ હતા, પરંતુ તે સમયે પી વી નરસિંહરાવને પીએમ બનાવામાં આવ્યાં. આ અગાઉ શરદ પવાર ઘણી વખત એવું કહેતા જોવા મળ્યા હતા કે સોનિયા ગાંધીએ 'વીટો' ના કારે 1991માં પ્રધાનમંત્રી બની શક્યા નહોતા.
શરદ પવારે પોતાના પુસ્તક ''લાઇફ ઓન માઇ ટર્મ્સ - ફ્રોમ ગ્રારૂટસ એન્ડ કોરીડોર્સ ઓફ પાવર" આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે 1991માં 10 જનપથના 'સ્વયંભૂ વફાદારો' એ સોનિયા ગાંધી ને આ વાત પર સહમતિ કરી લીધા હતા કે પવારની જગ્યાએ પીવી નરસિંહરાવને પ્રધાનમંત્રી બનાવામાં આવે.
જેનુ મખ્ય કારણ એ હતું ગાંધી પરિવાર કોઇ એવા વ્યક્તિને PM બનાવા માગતા નહોતા જે સ્વંતંત્ર વિચાર રાખતા હોય. જો કે હવે મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય ભૂકંપ બાદ 1991ના ઘટનાક્રમની યાદ સચોટ છે. ભલે શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારના નિર્ણયથી પોતાને અલગ કરી દીધા હોય, પરંતુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને એક તગડો ઝટકો જરૂરથી લાગ્યો છે.