બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Sharad Pawar says Shiv Sena rebels led by Eknath Shinde will have to present in Vidhan Bhawan

મહારાષ્ટ્ર / સંકટમોચક પવાર હવે આવ્યાં ફૂલ એક્શનમાં, પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી, જાણો હવે શું કરશે

Hiralal

Last Updated: 08:47 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે એનસીપી સુપ્રીમો શરદ પવાર ફૂલ એક્શનમાં આવ્યાં છે અને તેમણે કહી દીધું છે કે ઉદ્ધવ સરકારને બચાવવા કંઈ પણ કરવામાં આવશે.

  • એનસીપી નેતાઓ સાથે કરી મોટી બેઠક
  • કહ્યું-ઉદ્ધવ સરકારને બચાવવા કંઈ પણ કરીશું
  • શિવસેનાના બાગીઓે કિંમત ચુકવવી પડશે 

એનસીપી સુપ્રીમો શરદ પવારે પાર્ટી નેતાઓ સાથે આજે એક મોટી બેઠક કરીને કટોકટીમાંથી બહાર કેમ નીકળવું તેની ચર્ચા કરી હતી. બેઠકમાં શરદ પવારે પાર્ટી નેતાઓને સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ ભોગે ઉદ્ધવ સરકારને બચાવવામાં આવશે. 

વિધાનસભામાં થશે નિર્ણય 
તેમણે કહ્યું કે ઉદ્ધવ સરકારે લઘુમતીમાં આવી છે કે નહીં તેનો નિર્ણય વિધાનસભામાં થશે. એકનાથ શિંદે અને બાગી ધારાસભ્યોએ તેની કિંમત ચુકવવી પડશે. 

કટોકટીમાંથી પાર ઉતરી જઈશું- પવાર 
પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમે પહેલા પણ આવી સ્થિતિનો સામનો કર્યો છે. મારા અનુભવને આધારે કહું છું કે અમે આ કટોકટીમાંથી પાર ઉતરી જઈશું અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં સરકાર સારી રીતે ચાલશે.

એનસીપીએ શિવસેના છોડવાની જરુર નથી- પવારે પાર્ટી નેતાઓને કહ્યું 
એનસીપી પ્રમુખે એ વાત પર પણ જોર આપ્યું કે પાર્ટીએ અત્યારે શિવસેના છોડવાની જરૂર નથી. આ સાથે જ જે ધારાસભ્યોએ બળવો કર્યો છે તેમને પાછા લાવવામાં શિવસેનાને મદદ કરવી પડશે. આ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, તેઓ શિવસેનાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાના નથી. પરંતુ હવે જ્યારે સરકાર પર સંકટ વધુ ઘેરું બની રહ્યું છે, ત્યારે તેઓ પણ સક્રિય ભૂમિકા ભજવતા હોય તેવું લાગી શકે છે. 

છેક સુધી ઉદ્ધવ ઠાકરેને સાથ આપીશું-અજિત પવાર 
 પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અજીત પવાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટી ઉદ્ધવ ઠાકરેની સાથે છેવટ સુધી ઉભી રહેવાની છે. આ સરકારને બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. 

 મહાવિકાસ અઘાડી સરકાર ચાલતી રહેશે- કોંગ્રેસ 
કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે સરકાર બચશે અને એકનાથ શિંદેને 37 ધારાસભ્યોનું સમર્થન નહીં મળી શકે. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિવસેના ખુલ્લેઆમ નહીં કહે કે તે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગે છે, મહા વિકાસ આઘાડી એકજૂટ રહેવા જઈ રહી છે, ત્યાં સુધી સરકાર પણ ચાલતી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ