મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહના લેટર બોંબ પર NCP પ્રમુખનું નિવેદન સામે આવ્યુ છે.
મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહના લેટર બોંબ પર NCP પ્રમુખનું નિવેદન
ચિઠ્ઠીમાં પૈસા કોની પાસે ગયા છે તેનો ઉલ્લેખ નહી- પવાર
અનિલ દેશમુખ પર લાગેલા આરોપ ગંભીર પરંતુ પૂરાવા નથી-પવાર
મહારાષ્ટ્રમાં સરકારમાં ભારે હલચલ થઈ ગઈ છે ત્યારે એનએસપીના અધ્યક્ષ શરદ પવાર આજે પહેલી વાર સામે આવ્યા છે ત્યારે તેમણે કહ્યું છે કે અનિલ દેશમુખ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે ખૂબ ગંભીર છે પરંતુ કોઈ પુરાવા નથી.
શરદ પવારે કરી સ્પષ્ટતા
મહારાષ્ટ્રમાં રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એનએસપીના પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કૉંફરેન્સ કરી હતી જેમાં તેમણે અનિલ દેશમુખને તાત્કાલિક હટાવી દેવાના નિર્ણયથી ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે રાજીનામાં પર મુખ્યમંત્રી વિચાર કરશે અને સાથે તેમણે એમ પણ કહ્યું કે આ આખા પ્રકરણથી મહારાષ્ટ્ર સરકારની છવિ પર કોઈ જ અસર નહીં પડે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે આ મામલે તપાસનો નિર્ણય પણ સીએમ જ લેશે.
શરદ પ્રવારે કહ્યું કે પરમવીર સિંહે આરોપો તો ગંભીર લગાવ્યા છે પરંતુ કોઈ પૂરાવા નથી. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ લેટરમાં કોઈ જ સહી નથી.જોકે તેમણે ખુલાસો કર્યો હતો કે અનિલ દેશમુખ આગામી એક બે દિવસમાં નિર્ણય લઈ શકાય છે.
લેટર બોમ્બથી શિવસેના-એનસીપીમાં દૂરી વધી
પરમવીરના લેટર બોમ્બથી મહારાષ્ટ્ર સરકાર ખતરામાં છે કારણ કે પરમવીર સિંહના લેટર બોમ્બથી શિવસેના અને એનસીપી વચ્ચે દૂરી વધી ગઇ છે. લેટર બોમ્બના કારણે શિવસેના એનસીપી સાથે સંબંધોને લઇ વિચાર કરી રહી છે ત્યારે સામે ભાજપની શિવસેના સાથે ફરી મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની કોશિશ તેજ કરી દેવાઇ છે.
આત્મમંથનની જરૂર : રાઉત
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં પણ હલચલ વચ્ચે રાઉતે એમ પણ કહ્યું છે કે બધા જ સહયોગી દળોએ આત્મમંથન કરવાની જરૂર છે. બધી જ પાર્ટીઑએ તપાસવું જોઈએ કે તેમના પગ જમીન પર છે કે નહીં. મેં પહેલા પણ કહ્યું હતું કે રાજ્ય સરકારે પહેલાથી જ નજર રાખવી જોઈએ. કેટલાક અધિકારો પર નજર રાખવી જોઈએ. લોકો આ ઘટનાણે લેટર બોમ્બ કહી રહ્યા છે પણ તેમ જે કઈ પણ સત્ય છે તેની તપાસ ઠાકરે અને પવાર કરશે. અમારી સરકાર બરાબર કામ કરી રહી છે, બસ ચીજવસ્તુને ઠીક કરવાની જરૂર છે.
શું છે પરમવીરના લેટરમાં?
મુકેશ અંબાણી કેસમાં પરમવીર સિંહને પોલીસ કમિશનર પદેથી હટાવાઇ દેવાયા હતા અને પરમવીર સિંહના ટ્રાન્સફરને લઇ અનિલ દેશમુખે કહ્યું કે આ રૂટીન ટ્રાન્સફર નથી, તેઓએ કેટલીક ભૂલ કરી છે. ત્યારે હવે પરમવીરે ઉદ્ધવ સરકારને લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પરમવીર સિંહે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાજેને બોલાવ્યા હતા. વાજેને મહિનાનું 100 કરોડનું કલેક્શન હોટલ, રેસ્ટોરાં, બીયર બાર સહિતની જગ્યાથી કરવા કહ્યું હતું. લેટરમાં પરમવીર સિંહએ દાવો કર્યો છે કે મુંબઇમાં 1750 બાર, રેસ્ટોરાં સહિતની જગ્યાઓ છે જ્યાંથી કલેક્શન થઇ શકે છે. અને આ વાત સચિન વાજેએ જ તેમને કહી હતી. અનિલ દેશમુખે ACP સંજય પાટીલ, DCP ભુજબલને પણ બોલાવ્યા હતા. અને ACP સંજય પાટીલ, DCP ભુજબલને 40થી 50 કરોડનું કલેક્શન કરવા કહ્યું હતું.
મોહન ડેલકરની હત્યાની તપાસ મુંબઇમાં કરાવા માગતા હતા અનિલ દેશમુખ
લેટરમાં મોહન ડેલકરની આત્મહત્યાની તપાસને લઇને પણ ખુલાસો કર્યો. તેઓએ કહ્યું કે મેં અનિલ દેશમુખને કહ્યું હતું કે, ડેલકર દાદરા નગર હવેલીના સાંસદ છે એટલે તપાસ તેમને કરવી જોઇએ. પણ અનિલ દેશમુખ મુંબઇમાં તપાસ કરાવા માગતા હતા. અનિલ દેશમુખે મારી વાત ન માની અને SITની ઘોષણા કરી દીધી. પરમવીરે લેટરમાં લખ્યું છે કે સચિન વાજેએ દબાવ બનાવી મુકેશ અંબાણીનો કેસ પોતાની પાસે રાખ્યો.