જ્યોતિષ્પીઠેશ્વર તથા દ્વારકા શારદાપીઠેશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ શ્રીરામ મંદિરના શિલાન્યાસ માટે પસંદ કરવામાં આવેલ 5 ઓગસ્ટનાં મુહુર્ત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કોઈ પણ કામ ઉત્તમ કાળમાં શરુ કરવુ જોઈએ. 5 ઓગસ્ટના રોજ દક્ષિણાયન ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષની દ્વિતીય તિથિ છે. શાસ્ત્રોમાં ભદ્રપદ મહિનામાં ગૃહ મંદિરનો આરંભ નિષેધછે.
કોઈ પણ શુભ કામ વિનાશનું કારણ હોય છે
ભદ્રપદ માસમાં કરવામાં આવેલું કાર્ય ગરીબી લાવે છે
શાસ્ત્રોમાં ભદ્રપદ મહિનામાં ગૃહ મંદિરનો આરંભ નિષેધ છે
તેમણે કહ્યું કે, વિષ્ણુ ધર્મ શાસ્ત્ર અનુસાર ભદ્રપદ માસમાં કરવામાં આવેલું કોઈ પણ શુભ કામ વિનાશનું કારણ હોય છે. દૈવજ્ઞ વલ્લભ ગ્રંથમાં કહેવામાં આવ્યું ભદ્રપદ માસમાં કરવામાં આવેલું કાર્ય ગરીબી લાવે છે.
વાસ્તુ પ્રદીપ પણ આવું જ કહે છે વાસ્તુ રાજવલ્લભ મુજબ ભદ્રપદનો આરંભ શૂન્ય ફળ આપે છે. શંકરાચાર્યએ કહ્યું કે અભિજીત મુહૂર્ત હોવાને કારણે તેને શુભ મુહૂર્ત માનવું યોગ્ય નથી. મુહૂર્ત ચિંતામણીના લગ્ન પ્રકરણમાં બુધવારે અભિજીત પર નિષિદ્ધ છે. કર્કના સૂર્યમાં રહેવા સુધી ફક્ત શ્રાવણ માસમાં શિલાન્યાસ થઈ શકે છે. ભદ્રપદ્દમાં નહીં.
વિદ્વાનોના મતે, ચતુરમાસમાં શુભ મુહુર્તનો સંયોગ બની રહ્યો નથી. સોશિયલ મીડિયા પર પણ અનેક જ્યોતિષાચાર્યોએ વિવિધ પંચાગોને ટાંકતા વાંધો ઉઠાવ્યો છે. - સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
ભૂમિ પૂજન થશે ત્યારે શુભ દિન અને મંગલ મુહૂર્ત બની જશે
કાશીવિદ્વત પરિષતનામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતુ કે, હરિશ.ની એકાદશીથી દેવોત્થાન એકાદશીની વચ્ચે લગ્ન વગેરે મંગળ કાર્યા કરવાની મનાઈ છે. પરંતુ પૂજન વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની મનાઈ નથી. શ્રીરામચરિતમાનસના એક પ્રસંદનું ઉદાહરણ ટાંકતા તેમણે કહ્યું કે જ્યારે રાજા દશરથ ભગવાન શ્રી રાના રાજ્યાભિષેક માટે મહર્ષિ વશિષ્ઠ પાસે શુભ મુહૂર્ત કઢાવવા માટે ગયા હતા. ત્યારે જ્યોતિષ શાસ્ત્રોના અષ્ટાદશ પ્રવર્તકોનાં પ્રમુખ વશિષ્ઠ કહે છે કે બેગિબિલંબુ ન કરિએ નૃપ સાજિઅ સબુઈ સમાજ. સુદિન સુમંગલુ તબહિ જબ રામુ હોહિ જુબરાજ.’
એટલે કે જ્યારે શ્રીરામ રાજ્યાભિષેક કરવા ઈચ્છે છે તે જ સમય , દિવસ શુભ અને મંગળ રહેશે. એજ રીતે જ્યારે શ્રીરામના મંદિરના નિર્માણ માટે જ્યારે ભૂમિ પૂજન કરવામાં આવશે તે જ શુભ દિવસ અને મંગલ મુહૂર્ત બની જશે.
પરમ કલ્યાણકારી રહેશે અભિજીત મુહૂર્ત
જ્યોતિષાચાર્ય પં. દીપક માલવિયાના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટના રોજ ભદ્રપદ કૃષ્ણ પક્ષ દ્વિતિયા અભિજીત મુહૂર્તમાં શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂમિ પૂજન સવારે ઘનિષ્ઠા નક્ષત્રમાં શરૂ થશે અને શતભિષા નક્ષત્રમાં સમાપ્ત થશે. અભિજીત મુહૂર્તમાં ભૂમિ પૂજન પરમ કલ્યાણકારી રહેશે. આ 15 મુહૂર્તોમાં આઠમા સ્થાને આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 28 નક્ષત્ર અભિજીત છે જે તમામ કાર્યો માટે શુભ મનાય છે. 5 ઓગસ્ટના રોજ ભદ્રપદ મહિનામાં સિંહ રાશિમાં સૂર્ય રહેશે. જેનાથી આ મુહૂર્ત અત્યંત મહત્વપૂર્ણ બની જશે. ઘનિષ્ઠ નક્ષત્રનો સંબંધ ભૂમિથી છે અને તેના સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં ભૂમિ પૂજનનો પ્રારંભ થશે. વાસુ તેના દેવતા છે જે ભગવાન વિષ્ણુ અને ઈન્દ્રના રક્ષક છે. તેથી આ સમય ભૂમિ પૂજન માટે સંપૂર્ણપણે અનુકૂળ છે. 5 ઓગસ્ટના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે.