shani dosh Upay: જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય છે, તેઓ રાજામાંથી રંક બની શકે છે. શનિની કુ-દ્રષ્ટિના કારણે પરિવારની માઠી દશા બેસી શકે છે.
કુંડળીમાં શનિદોષ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય.
શનિની કુ-દ્રષ્ટિના કારણે પરિવારની માઠી દશા બેસે છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય.
જીવનમાં અનેક સુખ અને દુખ આવતા રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ ફેરફારને કારણે વ્યક્તિના જીવન પર અસર થાય છે. માનવામાં આવે છે કે, કુંડળીદોષ હોવાના કારણે વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ભગવાન શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જેઓ ખરાબ વ્યક્તિને ખરાબ પરિણામ અને સારા વ્યક્તિને શુભ પરિણામ આપે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ (Shani Dosh) હોય છે, તેઓ રાજામાંથી રંક બની શકે છે. શનિની કુ-દ્રષ્ટિના કારણે પરિવારની માઠી દશા બેસી શકે છે.
માનવામાં આવે છે કે, ઘણી વાર શનિના કારણે શુભ યોગ પણ બને છે, જેના કારણે સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સાચી હોય છે, જેઓ અન્ય લોકો પ્રત્યે દ્વેષ ભાવ નથી રાખતા શનિ દેવ તે લોકો પર પોતાની કૃપા વરસાવે છે. શનિના પ્રભાવથી બચવા માટે કયા ઉપાય અપનાવવા જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
શનિદોષ દૂર કરવા માટે શનિવારના રોજ પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે સૂર્યોદય પછી પીપળાના ઝાડને જળ અર્પણ કરીને તેલનો દિવો કરો અને શનિદેવ પર તેલ ચઢાવો.
શનિદેવની પૂજા સમયે તેમની આંખોમાં ના જોવું અને નીચે જોઈને પૂજા કરો. માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પૂજા સમયે શનિદેવની આંખોમાં જોવે છે, તેમના પર શનિદેવની કુ-દ્રષ્ટિ પડે છે. જેના કારણે જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે.
રત્ન ધારણ કરવાથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. જ્યોતિષની સલાહ લીધા વગર રત્ન ધારણ ના કરવું જોઈએ. ખોટો રત્ન ધારણ કરવાથી શુભ અને અશુભ અસર થઈ શકે છે. શનિદોષ દૂર કરવા માટે નીલમણિ પહેરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર શનિદોષ દૂર કરવા માટે દાન દક્ષિણા કરવી જોઈએ. જો તમારી કુંડળીમાં શનિદોષ છે, તો જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ અને કાળી છત્રીનું દાન કરો.
શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારના રોજ એક વાટકીમાં તેલ લો અને તેમાં તમારો ચહેરો જોવા. આ પ્રકારે કરતા સમયે શનિદેવને યાદ કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે.