શનિ દેવને નવગ્રહોમાં ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે શનિ દેવની નદર જો કોઈ પર બગડે તો તેને તરત સજા મળી જાય છે.
આ રાશિના જાતકો ખૂબ સાચવજો
શનિની સાડાસાતી થશે શરૂ
જાણો પ્રભાવ વિશે
શનિનું નામ આવતા જ લોકોના મનમાં ડર બેસી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે પ્રકારે શનિની સ્થિતિ કુંડળીમાં ખરાબ થવા પર વ્યક્તિ રાજાથી રંક બની જાય છે. તેજ પ્રકારે જો શનિદેવની સ્થિતિ કુંડળીમાં સારી હોય તો વ્યક્તિ રંકથી રાજા પણ બની જાય છે. શનિની ચાલ બદલવાની સાથે જ જાતકોના જીવન પર તેનો પ્રભાવ પણ બદલાતો રહે છે. વર્ષ 2021માં શનિની સાડાસાતી અને ઢૈય્યાના પ્રભાવથી 5 રાશિના જાતકોના જીવનમાં ઉથલ-પાથલ રહેશે. તમને જણાવી દઈએ કે આવનાર વર્ષ 2022માં શનિ દેવની ચાલથી કઈ કઈ રાશીના જાતકો પ્રભાવિત થશે.
આ રાશિને મળશે રાહત
વર્ષ 2021માં શનિ દેવે 5 રાશિઓના જીવનમાં ઉથલ-પાથલ મચાવશે. શનિદેવ હાલ પોતાની સ્વરાશિ મકરમાં છે. જેના કારણે ધન, મકર અને કુંભ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. જ્યારે મિથુન અને તુલા પર ઢૈય્યા ચાલી રહી છે. આવનાર વર્ષ 2022માં ધન રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળી જશે. ત્યાં જ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી રાહત મળશે.
2022ના ચૌથા મહિનામાં કરશે રાશિ પરિવર્તન
શનિ નવા વર્ષમાં 29 એપ્રિલ 2022એ મકરથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિને રાશિ પરિવર્તનથી મીન, કુંભ અને મકર રાશિ પર શનિની સાડાસાતી તથા કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા લાગશે. એટલે કે નવા વર્ષમાં પણ મકર અને કુંભ વાળા પર શનિની સાડાસાતી બની રહેશે. જેમાં મકર રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું છેલ્લા ચરણ શરૂ થશે તો કુંભ વાળા પર બીજો ચરણ શરૂ થશે.
જુલાઈ 2022માં વક્ર થશે શનિ
જ્યોતિષાચાર્ય ડો. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે 17 જાન્યુઆરી 2023થી શનિના માર્ગી થવા પર તુલા અને મિથુન રાશીથી સંપૂર્ણ રીતે ઢૈય્યાનો પ્રભાવ ખતમ થઈ જશે. તુલા રાશિ પર શનિની ઢૈય્યા 24 જાન્યુઆરી 2020થી ચાલી રહી છે. ત્યાં જ 2022 એપ્રિલમાં ધન રાશી વાળાને શનિની સાડાસાતીથી રાહત મળશે. પરંતુ 12 જુલાઈ 2022એ શનિ વક્ર થઈને ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ 17 જાન્યુઆરી 2023એ ધન રાશિ વાળાને શનિની સાડાસાતીથી અને મિથુન રાશિના લોકોને ઢૈય્યાથી સંપૂર્ણ રીતે મુક્તિ મળશે.