શનિ આ સમયે મકર રાશિમાં છે. 2022માં શનિ પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરશે.
30 વર્ષ બાદ શનિ બદલશે રાશિ
જાણો કઈ રાશિય પર કેવી રહેશે સાડાસાતીનો પ્રભાવ
2022માં શનિની ઢૈય્યા અને સાડાસાતી વિશે જાણો
જ્યોતિષ અનુસાર શનિદેવ જો કોઈ પર મહેરબાન રહે તો કિસ્મત ચમકતા વાર નથી લાગતી. તે મનુષ્યની લાઈફ ખુશીઓથી ભરી દે છે. ત્યાં જ જ્યારે શનિદેવની ત્રાસી નજર કોઈ પર પડે છે તો તેની પડતી શરૂ થઈ જાય છે. સાથે જ તે કંગાળીમાં પહોંચી જાય છે.
શનિની રાશિ પરિવર્તનની અસર દરેકના જીવન પર ખાસ અસર કરે છે. શનિ લગભગ અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. શનિ આ સમયે મકર રાશિમાં છે. 2022માં શનિ પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જાણીએ કે શનિદેવની પોતાની રાશિમાં આવવાથી કઈ રાશિ પર શનિની ઢળતી અને સાડાસાતીની શું અસર પડશે.
30 વર્ષ બાદ શનિ બદલશે રાશિ
શનિદેવ 2022માં 29 એપ્રિલે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ અનુસાર શનિ અઢી વર્ષમાં એક વખત રાશિ બદલશે. એવામાં શનિ 30 વર્ષ બાદ પોતાની જ રાશિ કુંભમાં પરત ફરશે.
કઈ રાશિય પર કેવી રહેશે સાડાસાતીનો પ્રભાવ
જ્યોતિષ અનુસાર 2022માં શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ ઘન રાશિના લોકોને સાડાસાતીથી છુટકારો મળી જશે. જ્યારે રાશિચક્રની સૌથી અંતિમ રાશિ મીન પર સાડાસાતી પહેલા ચરણમાં શરૂ થઈ જશે. ત્યાં જ કુંભ રાશિ પર સાડાસાતી બીજા ચરણમાં શરૂ થઈ જશે. આ ઉપરાંત મકર રાશિમાં સાડાસાતીનો અંતિમ ચરણ શરૂ થશે.
2022માં શનિની ઢૈય્યા અને સાડાસાતી
વર્ષ 2022માં શનિના ગોચર બાદ બે રાશિઓ પર શનિની ઢૈય્યા શરૂ થશે. 2022માં શનિની ઢૈય્યા હેઠળ કર્ક અને વૃશ્ચિક રાશિઓ આવશે. એવામાં કર્ક અને વૃશ્ચિકને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ત્યાં જ મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે.