આજે ભાદરવા મહિનાની અમાસ તિથિ છે અને આ અમાસને શનિશ્ચરી અમાસના રૂપમાં મનાવવામાં આવે છે. જ્યારે અમાસની તિથિ શનિવારે આવે છે તો તેને શનિ અમાસના નામથી ઓળખવામાં આવે છે. અમાસ તિથિ પર ગંગા સ્નાન, દાન, પૂજા-પાઠ અને પિતૃ તર્પણ વગેરે કરવામાં આવે છે.
ભાદરવા મહિનાની અમાસ તિથિ
શનિ અમાસના દિવસે 14 વર્ષો બાદ ખૂબ દુર્લભ સંયોગ બન્યો
અમાસના દિવસે પિતૃઓની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે
અમાસના દિવસે પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ થશે પ્રસન્ન
શનિ અમાસ પર ભગવાન શનિદેવની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. આ વખતે શનિ અમાસના દિવસે 14 વર્ષો બાદ ખૂબ દુર્લભ સંયોગ બન્યો છે. અમાસ તિથિ પર અમુક ઉપાય કરવાથી શનિદોષથી પરેશાન જાતકને લાભ મળે છે. હિન્દુ ધર્મમાં અમાસ પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે સ્નાન અને પિતૃઓને તર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે અમાસના દિવસે પિતૃઓની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આવો જાણીએ શનિ અમાસ તિથિનુ મહત્વ અને પૂજાના લાભ.
14 વર્ષો બાદ શનિ અમાસ પર બન્યો આવો સંયોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શનિદેવનો આશીર્વાદ મેળવવા અને કુંડળીમાંથી શનિ સંબંધી તમામ દોષને દૂર કરવા માટે અમાસ તિથિ ખૂબ મહત્વની છે. 27 ઓગષ્ટે શનિ અમાસ પર દુર્લભ યોગ બની રહ્યો છે. 27 ઓગષ્ટે શિવ યોગ અને સિદ્ધ યોગ પણ બની રહ્યો છે. આ બે યોગ સિવાય આ દિવસે પદ્મા યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ વિદ્ધાનો મુજબ ભાદરવા મહિનામાં શનિ અમાસ આવવી ખૂબ દુર્લભ સંયોગ હોય છે. 14 વર્ષો બાદ ભાદરવા મહિનામાં શનિ અમાસ આવી છે. જો શનિ અમાસ પર ગ્રહોના સંયોગની વાત કરીએ તો આ તિથિ પર ચાર ગ્રહ પોતાની રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં, બુધ કન્યા રાશિમાં અને ગુરૂ સ્વરાશિ મીનમાં અને શનિ મકર રાશિમાં છે.
શનિ અમાસ પૂજા વિધિ
અમાસ તિથિ પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો.
જો તમારી આજુબાજુ પવિત્ર નદી છે તો આ દિવસે ત્યાં જઇને સ્નાન અવશ્ય કરો. જો આ શક્ય નથી તો ન્હાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરી લો.
ત્યારબાદ ઘરના મંદિરમાં વિધિવત રીતે પૂજા, આરતી અને દીવો પ્રગટાવો.
પૂજા બાદ સૂર્યદેવને જળ ચઢાવો.
પછી ઘરની બાજુમાં આવેલા મંદિરે જઇને શનિદેવના દર્શન કરો અને દીવો પ્રગટાવી તેમને સરસવનુ તેલ અર્પણ કરો.