બનાસકાંઠા પંથકમાં આવેલા રાજ્યસભા સદસ્ય શક્તિસિંહ ગોહિલે ખનીજના ખનન સામે સરકાર સામે આક્ષેપ કર્યા હતા. રાજ્યસભા સાંસદે કહ્યું કે, સરકાર હપ્તા લઇ ખનીજનું ખનન કરાવીને વેચે છે.
બનાસકાંઠામાં શક્તિસિંહ ગોહિલ
રાજ્ય સરકાર પર ખનન મુદ્દે આરોપ
સરકાર હપ્તા લઇ ખનન કરાવી વેંચે છે-સાંસદ
બનાસકાંઠા પંથકમાં આવેલા રાજ્યસભા સદસ્ય શક્તિસિંહ ગોહિલે ખનીજના ખનન સામે સરકાર સામે આક્ષેપ કર્યા હતા. રાજ્યસભા સાંસદે કહ્યું કે, સરકાર હપ્તા લઇ ખનીજનું ખનન કરાવીને વેચે છે. સરકારની હપ્તાખોરીથી પાણીના તળ નીચા ગયા છે. ખેડૂતોને પાણીની તંગીને લઇ સરકાર પર તેમણે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.તેઓએ કહ્યું કે, કોંગ્રેસ 28 તારીખથી બનાસકાંઠામાં આંદોલન કરશે. ઉપરાંત કોંગ્રેસ નેતાઓના રાજીનામા મામલે તેઓએ ભાજપને ખરીદ-વેચાણ સંઘ ગણાવ્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોને મંત્રી તો બનાવ્યા,પરંતુ હવે ટિકિટ મળશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.
ભય મુક્ત ભષ્ટ્રાચાર કરો અને ભાજપની ભૂખ ભાંગો. કરોડો રૂપિયાનું કોલસા કૌંભાંડ બહાર આવ્યું. સાચો લીઝ હોલ્ડર, ખેડૂત કે સામાન્ય માણસ રેતી લાવે તો કેસ થાય પણ ભાજપના કાર્યકર્તાઓ અને માનીતા અધિકારીઓની મિલીભગતથી મનફાવે તેટલું રેતી ખનન કરી કરોડો રૂપિયાની ખુલ્લી લુંટ થાય છે ! pic.twitter.com/kssE9itWCM
ઉલ્લેખનીય છે કે, રાજયના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે ખોદકામથી મોટા પાયે રેતી ચોરી થાય છે. સાંસદમનસુખ વસાવાના આક્રોશ અને વાસ્તવિકતા સામે આવતા રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યા હતા. વધુમાં, તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ છોડી કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે તે પર પ્રહાર કરતા સાંસદ ગોહિલે કહ્યું કે, ભાજપ ખરીદ વેચાણ સંઘ છે. અગાઉની સરકારમાં જેઓ કોંગ્રેસ માંથી ગયા હતા તેઓને મંત્રી બનાવી દીધા, પરંતુ હવે તેઓને ટીકીટ મળશે કે કેમ ? તે પર પણ સવાલ છે.