બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / shailesh lodha break silence on leaving taarak mehta show

મનોરંજન / મહેતા સાહેબે સિરિયલ કેમ છોડી? શૈલેષ લોઢાએ કર્યું રિએક્ટ, કન્ફ્યુઝ થઈ જશે દર્શકો

Arohi

Last Updated: 12:11 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દિશા વાકાણી બાદ શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ અભિનેતાએ આ વાત પર મૌન તોડ્યું છે.

  • શૈલેષ લોઢાએ શો છોડવા અંગે તોડ્યું મૌન
  • પ્રશ્નનો કંઈક આ રીતે આપ્યો જવાબ 
  • નવા શોમાં જોવા મળશે શૈલેષ 

છેલ્લા ઘણા સમયથી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જ્યાં લોકો આ શોમાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શોના અન્ય એક મહત્વપૂર્ણ પાત્ર શૈલેષ લોઢાના શો છોડવાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી આવી રહ્યા છે. ત્યાં જ શૈલેષ લોઢાએ આ સમાચારોને લઈને મૌન તોડ્યું છે.

વાપસીના પ્રશ્ન પર આપ્યો આ જવાબ
શૈલેષ લોઢા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળશે કે નહીં તેનો જવાબ માત્ર શૈલેષ લોઢા જ આપી શકે છે. હાલમાં જ શૈલેષ તેના આગામી શો 'વાહ ભાઈ વાહ'ના પ્રમોશન માટે આવ્યો હતો. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં અભિનેતાને શોમાં પરત ફરવા અંગે એક પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

જવાબમાં શૈલેષે આવી વાત કહી તે સાંભળીને ફેન્સ પણ મૂંઝાઈ જશે. શૈલેષ લોઢાએ જવાબમાં કહ્યું- 'આજે અમે વાહ ભાઈ વાહ માટે આવ્યા છીએ, તેથી આપણે ફક્ત તેના વિશે જ વાત કરીશું.'

કન્ફ્યુઝન યથાવત 
શૈલેષ લોઢાના આ જવાબથી એ સ્પષ્ટ નથી થયું કે તેણે 'તારક મહેતા' શો છોડ્યો છે કે નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે એક્ટર લાંબા સમયથી આ શોમાં જોવા મળ્યો નથી. એવામાં અભિનેતાના શો છોડવાના સમાચાર પર ચોક્કસપણે મોહર લાગી છે. જોકે, આ અંગે અભિનેતા કે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Shailesh Lodha Taarak Mehta Ka Ooltah Chashmah તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૈલેષ લોઢા shailesh lodha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ