સની દેઓલ ખૂબ જલ્દીથી બોલીવુડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્ટ કરવાનો છે. આ ફિલ્મથી એનો પુત્ર કરણ દેઓલ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે. એની ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ ટીઝરથી શાહરૂખ અને સની દેઓલના સંબંધમાં તિરાડ ખતમ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ બોલીવુડ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. એની ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ટીઝર વીડિયો રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે કરણને શુભેચ્છા પાઠવી છે.
શુભેચ્છા પાઠવનારના આ લિસ્ટમાં શાહરૂખ ખાનનું નામ પણ સામે સામેલ છે. શાહરૂખ ખાનના ટ્વિટ બાદ દરેકના મનમાં સૌથી પહેલા પ્રશ્ન એ આવે છે કે શું સની દેઓલ અને શાહરૂખ વચ્ચે બધું યોગ્ય થઇ ગયું?
શાહરૂખ ખાને ટ્વિટ કરીને કરણને શુભેચ્છા પાઠવી છે. સાથે જ એેને સની દેઓલના નિર્દેશનના પણ વખાણ કર્યા. એને લખ્યું, 'શું શાનદાર ટીઝર છે. એક સુંદર ફિલ્મ માટે કરણ અને સહરને શુભેચ્છા. સની દેઓલે આ ફિલ્મને દિલ અને આત્માથી બનાવી છે. સમગ્ર ટીમને ખૂબ જ પ્રેમ.'
સની દેઓલ અને શાહરૂખ ખાનની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી અણબન તો જગજાહેર છે. એમની વચ્ચે આ ટકરાવ ફિલ્મ 'ડર' ના સેટથી શરૂ થયો હતો. એવી માહિતી હતી કે સનીએ 16 વર્ષ સુધી શાહરૂખ ખાન સાથે વાત કરી નહતી.
એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે, 'ફિલ્મ ડરમાં હું કમાન્ડોના રોલમાં હતો અને શાહરૂખ ખાનને મને ચાકૂ મારવાનું હતું. હું એટલો ફીટ હતો કો કોઇ કેવી રીતે મને (શાહરૂખ ખાન) ચાકૂ મારી શકે છે. આ વાત પર મને ખૂબ ગુસ્સો આવ્યો. યશ જી મોટા હતા, હું એમને કંઇ કહી શકતો નહતો. તો મે ગુસ્સામાં મારો હાથ જીન્સના ખિસ્સામાં નાંખ્યો અને મને ખબર જ ના રહી ક્યારે મારા જીન્સનું ખિસ્સુ ફાટી ગયું.'
શાહરૂખનું 16 વર્ષ સુધી વાત નહીં કરવા પર સનીએ કહ્યું હતું કે, 'એવું નથી કે મે વાત નથી કરી, ખબર નહીં શું છે. હું વધારે સોશિયલાઇઝ કરતો નથી. ક્યારેય અમે લોકો મળ્યા જ નથી તો વાત કરવાની વાત જ નથી. એમ પણ હું કોઇ પાર્ટીમાં જતો નથી.' જો કે શાહરૂખ ખાનના આ ટ્વિટથી હિન્ટ મળે છે કે સની સાથે સંબંધમાં પહેલી જવી અણબન રહી નથી.
ફિલ્મની વાત કરીએ તો જણાવી દઇએ કે ફિલ્મની કહાની એક લવ સ્ટોરી બેસ્ડ હશે. ફિલ્મને સની દેઓલએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મથી સની દેઓલ ડાયરેક્શમાં ડેબ્યૂ કરી રહ્યો છે.