કાબુલમાં અમેરિકન ડ્રોન હુમલામાં અનેક બાળકોના માર્યા જવાના સમાચાર મળ્યા છે.
અમેરિકન હુમલામાં અફઘાનીસ્તાનના અનેક નાગરિકો માર્યા ગયા
એક ન્યૂઝ ચેનલે સ્થાનિક પત્રકાર અને મૃતકોના સંબંધીની વાતના આધારે રિપોર્ટ તૈયાર કર્યો
અમેરિકાએ કહ્યું કે તે તપાસ કરી રહ્યું છે કે હુમલામાં નાગરિકોના મોત થયા છે કે કેમ
અમેરિકન હુમલામાં અફઘાનીસ્તાનના અનેક નાગરિકો માર્યા ગયા
એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ રવિવારે થયેલા અમેરિકન હુમલામાં અફઘાનીસ્તાનના અનેક નાગરિકો માર્યા ગયા છે. અમેરિકાએ દવો કર્યો હતો કે તેમણે આઈએસના આત્મઘાતી કાર બોમ્બર પર હુમલો કર્યો હતો જે કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાની તૈયારીમાં હતો.
એક ન્યૂઝ ચેનલે સ્થાનિક પત્રકાર અને મૃતકોના સંબંધીની વાતના આધારે રિપોર્ટ તૈયાર કર્યો
ન્યૂઝ ચેનલે સ્થાનીય પત્રકાર અને માર્યા ગયેલા લોકોના સંબંધીઓ સાથે વાતચીતના આધાર પર પોતાનો રિપોર્ટ બનાવ્યો છે. અમેરિકન હુમલામાં એક જ પરિવારના 9 લોકો માર્યા ગયા. જેમાં 6 બાળકો હતા. મરનારામાં સૌથી નાની ઉંમરની 2 વર્ષની બાળકી પણ સામેલ છે. હુમલામાં મરનારા એક વ્યક્તિના ભાઈએ આની જાણકારી આપી છે.
અમેરિકાએ કહ્યું કે તે તપાસ કરી રહ્યું છે કે હુમલામાં નાગરિકોના મોત થયા છે કે કેમ
રિપોર્ટ મુજબ મરનારાના પરિવારના પડોશી અહદે જણાવ્યું કે હુમલા બાદ તમામ પડોશીઓએ આગ બુઝાવાનો પ્રયાસ કર્યો હતો. મે જોયું કે ત્યાં 5-6 લોકો માર્યા ગયા હતા. જેમાં પિતા, એક યુવક અને કેટલાક બાળકો હતા. તમના મોત થઈ ચૂક્યા હતા. તેમના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ ઉપરાંત 2 લોકો ઘાયલ હતા. ત્યારે અસોસિએટેડે પ્રેસે એક અનામ અફઘાની અધિકારીના હવાલાથી પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હુમલામાં 3 બાળકોના મોત થયા છે. એક ન્યૂઝના રિપોર્ટ બાદ અમેરિકાએ કહ્યું કે તે તપાસ કરી રહ્યું છે કે હુમલામાં નાગરિકોના મોત થયા છે કે નહીં અને જો એવું થયું છે તો આ બહું દુઃખદ હશે.
હુમલામાં 1 બાળક સહિત 6 લોકોના મોત થયા છે
ઉલ્લેખનીય છે કે રવિવારે અફઘાનિસ્તાનના કાબુલમાં એક અમેરિકન હવાઈ હુમલામાં તે વાહનને નિશાન બનાવવામાં આવ્યું જેમાં ઈસ્લામિક સ્ટેટના એક સહયોગી સંગઠનના અનેક આત્મઘાતી હુમલાખોરો સવાર હતા. અધિકારીઓએ આ જાણકારી આપતા જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોર કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવાઈ અડ્ડા પર અમેરિકન સેનાના સૈન્ય નિકાસી અભિયાનને નિશાનો બનાવવા માંગતા હતા. આ હુમલામાં 1 બાળક સહિત 6 લોકોના મોત થયા છે પણ સત્તાવાર રીતે કોઈ સંખ્યા દર્શાવવામાં નથી આવી.
આત્મઘાતી હુમલામાં 180 લોકો માર્યા ગયા
આ રોકેટ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનના લોકોને કાઢવા માટે એક ઐતિહાસિક અભિયાન સંચાલિત કરી રહ્યું છે. જેમાં કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી હજારોને કાઢવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં 2 અઠવાડિયા પહેલા તાલિબાનના કબ્જા બાદથી બહું અરાજક્તાની સ્થિતિ છે. ઈસ્લામિક સ્ટેટના એક સહયોગી સંગઠન દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલા બાદ તાલિબાનના હવાઈ વિસ્તારમાં આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. તે આત્મઘાતી હુમલામાં 180 લોકો માર્યા ગયા હતા.