બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / seven members of migrant bihari family burnt to death due to fire in slum in ludhiana

BIG NEWS / લુધિયાણામાં મોટી દુર્ઘટના: રાતે સુતા હતા ને ઝૂંપડીમાં આગ ફાટી નિકળી, આખો પરિવાર બળીને ખાક થયો

Pravin

Last Updated: 11:25 AM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના લુધિયાણામાં મંગળવારે મોડી રાત એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થઈ ગયા હતા.

  • લુધિયાણામાંથી હાહાકાર મચ્યો
  • એક જ પરિવારના સાત લોકોના મોત
  • પતિ-પત્ની અને બાળકોના થયા મોત

પંજાબના લુધિયાણામાં મંગળવારે મોડી રાત એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થઈ ગયા હતા. પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ સુરિંદર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના 19 એપ્રિલ રાતના લગભગ 1.30 વાગ્યાની છે. વિગતો મળતા જ ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ તુરંત હોલવી નાખી હતી. ઝૂંપડીમાંથી સાત મૃતદેહો મળી આવ્યા છે. આ દુઘટનાનો શિકાર થયેલો પરિવાર પ્રવાસી મજૂર હતો અને ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડની પાસે ઝૂંપડી બનાવીને રહેતો હતો.

આખો પરિવાર બળીને ખાક થઈ ગયો

ટિબ્બા થાણેના એસએચઓ રણબીર સિંહે મૃતકોની ઓળખા પતિ-પત્ની અને તેના 5 બાળકો તરીકે કરી છે.  આ પરિવાર બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી હતો. તેમની ઓળખાણ સુરેશ સાહની, તેમની પત્ની અરુણા દેવી, દિકરી રાખી, મનીષા, ગીતા અને ચંદા તથા એક બે વર્ષનો દિકરી સન્ની તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં પ્રવાસી પરિવારનો મોટો દિકરો રાજેશ બચી ગયો હતો. કારણ તે પોતાના મિત્રના ઘરે સુવા માટે ગયો હતો. રાજેશે પોતાના પરિવાર વિશે પોલીસને જાણકારી આપી હતી. રાજેશે જણાવ્યું હતું કે, તેના પિતા સુરેશ સાહની ભંગારનું કામ કરે છે. 

ઝૂંપડીમાં કોઈએ આગ લગાવા દીધી હોવાની પોલીસને શંકા

પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ અધિકારી સુરિંદર સિંહે જણાવ્યું હતું કે, દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલથી ડોક્ટર્સની ટીમ ત્યાં પહોંચી હતી. ડીસી સુરક્ષિ મલિક તથા પોલીસ કમિશ્નર કૌસ્તબ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઝૂંપડીમાંથી તમામ શબ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ઝૂંપડીમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળથી નમૂના એકત્રિત કરીને તપાસ માટે લૈબમાં મોકલી રહી છે. જો કે, એવી શંકા છે કે, ઝૂંપડીમાં તે સમયે કોઈએ આગ લગાવી દીધી જ્યારે આખો પરિવાર એક સાથે સુઈ રહ્યો હતો. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ