બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / seven members of migrant bihari family burnt to death due to fire in slum in ludhiana
Pravin
Last Updated: 11:25 AM, 20 April 2022
પંજાબના લુધિયાણામાં મંગળવારે મોડી રાત એક મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડ પાસે આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થઈ ગયા હતા. પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ સુરિંદર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના 19 એપ્રિલ રાતના લગભગ 1.30 વાગ્યાની છે. વિગતો મળતા જ ફાયર બ્રિગેડ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ તુરંત હોલવી નાખી હતી. ઝૂંપડીમાંથી સાત મૃતદેહો મળી આવ્યા છે. આ દુઘટનાનો શિકાર થયેલો પરિવાર પ્રવાસી મજૂર હતો અને ટિબ્બા રોડ પર નગરપાલિકા કચરા ડંપ યાર્ડની પાસે ઝૂંપડી બનાવીને રહેતો હતો.
આખો પરિવાર બળીને ખાક થઈ ગયો
ટિબ્બા થાણેના એસએચઓ રણબીર સિંહે મૃતકોની ઓળખા પતિ-પત્ની અને તેના 5 બાળકો તરીકે કરી છે. આ પરિવાર બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી હતો. તેમની ઓળખાણ સુરેશ સાહની, તેમની પત્ની અરુણા દેવી, દિકરી રાખી, મનીષા, ગીતા અને ચંદા તથા એક બે વર્ષનો દિકરી સન્ની તરીકે થઈ છે. આ દુર્ઘટનામાં પ્રવાસી પરિવારનો મોટો દિકરો રાજેશ બચી ગયો હતો. કારણ તે પોતાના મિત્રના ઘરે સુવા માટે ગયો હતો. રાજેશે પોતાના પરિવાર વિશે પોલીસને જાણકારી આપી હતી. રાજેશે જણાવ્યું હતું કે, તેના પિતા સુરેશ સાહની ભંગારનું કામ કરે છે.
ઝૂંપડીમાં કોઈએ આગ લગાવા દીધી હોવાની પોલીસને શંકા
પૂર્વી લુધિયાણાના સહાયક પોલીસ અધિકારી સુરિંદર સિંહે જણાવ્યું હતું કે, દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલથી ડોક્ટર્સની ટીમ ત્યાં પહોંચી હતી. ડીસી સુરક્ષિ મલિક તથા પોલીસ કમિશ્નર કૌસ્તબ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઝૂંપડીમાંથી તમામ શબ બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ઝૂંપડીમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળથી નમૂના એકત્રિત કરીને તપાસ માટે લૈબમાં મોકલી રહી છે. જો કે, એવી શંકા છે કે, ઝૂંપડીમાં તે સમયે કોઈએ આગ લગાવી દીધી જ્યારે આખો પરિવાર એક સાથે સુઈ રહ્યો હતો. પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners