જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાં છે. આતંકીઓએ પુલાવામાના ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત સુરક્ષાદળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનામાં 7 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યાં છે.
અવંતીપોરામાં SSP તાહિર સલીમે કહ્યું કે આતંકીઓએ CRPFના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો. CRPFની ટુકડી ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી, જો કે આતંકીઓને નિશાન ચૂકી ગયા અને સુરક્ષાકર્મીઓનો બચાવ થયો. પણ આતંકીઓ દ્વારે ફેંકવામાં આવેલા ગ્રેનેડ રોડ પર ફાટ્યો અને તેની ઝપેટમાં 7 નાગરિક આવી ગયા.
સુરક્ષાદળોએ તરત જ આ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓને પકડવા અભિયાન શરુ કરી દીધુ છે. પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ તક જોઇને સુરક્ષાદળોને નિશાન તાકવાનો પ્રયત્ન કર્યો છે. જો કે તેમનું નિશાન ચૂકી ગયા. સુરક્ષાદળ જ્યાસુધી આતંકીઓ પર જવાબી કાર્યવાહી કરતા તેઓ ફરાર થઇ ગયા.
આ વચ્ચે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ રોડ પર ફાટ્યો. ઘટનાસ્થળની પાસે બસ સ્ટેન્ડ હોવાના કારણે ત્યાં લોકો ઘણા ઉપસ્થિત હતા. આ લોકો ગ્રેનેડની ઝપેટમાં આવી ગયા. તેઓને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં. પોલીસ અને સુરક્ષાદળ દ્વારા આવતા-જતા વાહનોની તપાસ કરી રહ્યાં છે.
આ અગાઉ નવા વર્ષના પહેલા દિવસે આતંકીઓએ શુક્રવારની સાંજે છાનપોરા વિસ્તારમાં લાલ નગર બાઇપાસ પર સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. અહીં તૈનાત એસએસબીના જવાનોના આતંકીઓએ નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો હતો. જો કે તેમાં કોઇ નુકસાન થુયં નહોતું.
જ્યારે બીજી તરફ કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગત મંગળવારે ધરપકડ કરાયેલ ટીઆરએફના ઓજીડબ્લ્યુ (આતંકીઓનો મદદગાર) આસિફ ગુલની પાસેથી ત્રણ ચીની ગ્રેનેડ પ્રાપ્ત થયા હતા. તેની પાસેથી મળેલા ગ્રેનેડ પહેલી વખત મળ્યાં હોવાનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસના જણાવ્યાં અનુસાર તેઓ સીમા પર ટીઆરએફ કમાંડરના સતત સંપર્કમાં હતા. તેના પર 30 કેસ અને ચાર વખત પીએસએમાં ધરપકડ થઇ ગયા છે. ગત છ મહીનાથી ફરાર ચાલી રહ્યો હતો.
એસએસપી બારામુલા અબ્દૂલ ક્યૂમે જણાવ્યું કે 29 ડિસેમ્બરના રોજ પોલીસે બારામુલાથી હંદવાડા તરફથી આતંકીઓ અને તેના મદદગારોની મૂવમેંટનો ઇનપુટ મળ્યો હતો.