ગાંધીનગરમાં ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ધરપકડ કરાઇ છે. ATSએ સરખેજ પાસેના નાની વણજર ગામમાંથી સિરિલય કિલર મોનિષ માલીને ઝડપી પાડ્યો છે. 3 હત્યા કરાનરો આ શખ્સ સરખેજમાં છૂપાઇને બેઠો હતો. આરોપી મોનિષ મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હાલ પોલીસે ગુનામાં વપરાયેલી પિસ્તોલ કબજે કરી છે. આરોપીએ બાલાજી અગોરા મોલમાં કારની અંદર રહેલી એક બેગમાંથી ચોરી કરી હતી. પિસ્તોલ સાથે 5 જીવતા કાર્ટિઝની પણ ચોરી કરી હતી. ત્યારે 5માંથી 3 કાર્ટિઝનો ઉપયોગ કર્યાનું આરોપીએ કબુલ્યું છે.
સિરિયલ કિલર લૂંટ ચલાવ્યા પહેલા વિસ્તારની રેકી કરતો હતો
સિરિયલ કિલર મોનિસ સરખેજમાં ભાડાના મકાનમાં રહેતો હતો
પિસ્તોલ સાથે 5 જીવતા કાર્ટિઝની પણ ચોરી કરી હતી
ગાંધીનગરમાં 3 હત્યાના આરોપીને એટીએસએ ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીએ ક્રાઇમ પેટ્રોલ જોઇ અને યૂટ્યુબ પરથી પિસ્તોલ ચલાવતા શીખીને હત્યાને અંજામ આપ્યો હતો. મોનિષ માલીએ સેરથા, ટિંટોળા અને દંતાણી ગામમાં મોનિષ પોલે 3 વ્યક્તિની હત્યા કરી હતી. ગાંધીનગરમાં ત્રણ હત્યા બાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી.
જેને લઇ એટીએસે પત્રકાર પરિષદ યોજી હતી. એટીએસના DySP બી.પી. રોજિયાએ કહ્યું કે, આરોપી મોનિષ માલીએ ત્રણેય હત્યાનો ગુનો કબુલ્યો છે. અને આરોપી પાસેથી એક પિસ્તોલ પણ કબજે કરાવી છે. આરોપી મોનિષ યૂ-ટ્યુબ પરથી પિસ્તોલ ચલાવતા શીખ્યો હતો અને મુસાફરોને હથિયાર બતાવી લૂંટ ચલાવતો હતો. અને જો કોઇ પૈસા ન આપે તો તેની હત્યા કરી દેતો હતો.
ક્રાઇમ પેટ્રોલ જોઇને ચલાવતો હતો લૂંટઃ ATS
સિરિયલ કિલર મુદ્દે ATSએ યોજી પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, ત્રણેય હત્યાઓ એક જ પિસ્તોલથી કરાયેલી છે. આરોપી મોનિષ માલીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યૂ-ટ્યુબ પરથી પિસ્તોલ ચલાવતા શીખ્યો હતો. અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. મુસાફરોને હથિયાર બતાવી લુંટ ચલાવતો હતો. પિસ્તોલ બતાવીને લૂંટ ચલાવતો હતો. પહેલા વિસત એરિયામાં રહેતો હતો. CCTV સામે આવ્યા બાદ ગુના પર રોક લગાવી હતી. સિરિયલ કિલર આરોપી ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જોતો હતો.
પૈસા ન આપે તો હત્યા કરતો હતોઃ ATS
ગાંધીનગર-અમદાવાદના વિસ્તારોથી આરોપી પરીચિત છે. લૂંટ ચલાવ્યા પહેલા વિસ્તારની રેકી કરતો હતો. સિરિયલ કિલર રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે. સિરિયલ કિલર 10-12 વર્ષની ઉંમરે ઘર છોડી ચૂક્યો હતો. પૈસા ન આપે તો હત્યા કરતો હતો. CCTV સામે આવ્યા બાદ પોતાનો લુક ચેન્જ કર્યો હતો. લૂંટ માટે વહેલી સવારનો સમય પસંદ કરતો હતો.
પોલીસે મકાન માલિક સામે કરી કાર્યવાહી
સિરિયલ કિલર મોનિસ સરખેજમાં ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન માલિકે નોંધણી ન કરાવી હોવાનું સામે આવ્યુ છે. નોંધણી ન કરાવતા પોલીસે મકાન માલિક સામે પણ કાર્યવાહી હાથધરી છે. આ ઘટના બાદ પોલીસે જુદા-જુદા વિસ્તારમાં મકાન માલિક સામે કાર્યવાહી શરૂ કરી છે. SOG ક્રાઈમે વટવા, વેજલપુર, વસ્ત્રાપુર, આનંદનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને 40 જેટલા કેસ નોંધ્યા છે.
આરોપીએ ક્યાં અને ક્યારે હત્યાને અંજામ આપી?
14 ઓક્ટોમ્બર 2018ના રોજ દંતાલી ગામે 70 હજારના દાગીનાની લૂંટ આચરી જયરામભાઇ રબારીની હત્યા કરી હતી. ત્યારબાદ બીજી હત્યા તારીખ 9 ડિસેમ્બર 2018ના રોજ કોબા પાટીયા નજીક આવેલા પ્રેક્ષાભારતી નજીક કેશવદાસ પટેલની હત્યા કરી હતી. ત્રીજી હત્યા તારીખ 26મી જાન્યુઆરી 2019ના રોજ શેરથા ટીંઢોળા ગામ રોડ નજીક દાગીનાની લૂંટ ચલાવી જુઠાજી મગનજી ઠાકોરની હત્યા કરી હતી.