ધ ડર્ટી પિક્ચરની સિક્વલ બની શકે છે, જેમાં વિદ્યા બાલનની જગ્યાએ તાપસી પન્નુ અથવા કૃતિ સેનન જોવા મળી શકે છે.
ધ ડર્ટી પિક્ચરની બનશે સિક્વલ
વિદ્યા બાલન સિક્વલમાં જોવા નહીં મળે
તાપસી પન્નુ અથવા કૃતિ સેનન સિક્વલમાં કામ કરી શકે છે
ધ ડર્ટી પિક્ચરની બનશે સિક્વલ
બૉલીવુડની શાનદાર અભિનેત્રોમાંની એક વિદ્યા બાલને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' વર્ષ 2011માં રિલીઝ થઈ હતી જેમાં વિદ્યા બાલને પોતાની અદાકારીથી સૌ કોઈને પોતાના દિવાના બનાવ્યા હતા. ફિલ્મમાં વિદ્યા બાલનનાં બોલ્ડ સિન્સ અને ડાયલોગ્સ આજે પણ લોકોનાં મોં પર સાંભળવા મળે છે. હવે આ ફિલ્મને લઈને એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે લોકોને ખુશ કરી દીધા છે.
વિદ્યા બાલન સિક્વલમાં જોવા નહીં મળે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકતા કપૂર પોતાની હિટ ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર'ની સિક્વલની તૈયારીઓ કરી રહી છે. કહેવામાં આવે છે કે આઅ ફિલ્મ પર વહેલી તકે કામ શરૂ કરવામાં આવશે. ફિલ્મના મેકર્સે આ બાબતે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કર્યું નથી. આપણે બધા જાણીએ છીએ કે વિદ્યા બાલનની કરિયર માટે આ ફિલ્મ એક મહત્વની ફિલ્મ સાબિત થઈ હતી, પરંતુ ફિલ્મના સિક્વલ માટે કોઈ બીજજી અભિનેત્રીને લેવાની વાતો થઈ રહી છે.
તાપસી પન્નુ અથવા કૃતિ સેનન સિક્વલમાં કામ કરી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘ ડર્ટી પિક્ચરની સિક્વલમાં વિધ્યા બાલનની જગ્યાએ તાપસી પન્નુ અથવા કૃતિ સેનન કામ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂર ઘણા વર્ષોથી સિક્વલ વિશે વિચારી રહી છે. ફિલ્મની રિલિઝને 11 વર્ષ થઈ ચૂક્યા છે. આઅ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે આશા છે કે ફિલ્મના સિક્વલને પણ દર્શકો ભરપૂર પ્રેમ આપશે.