બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પરિવાર હાલ આર્યનને લઇને ખુબ ચિંતામાં છે. તે છેલ્લા 14 દિવસથી જેલના સળિયા પાછળ છે. આજે શાહરૂખની મુલાકાત આર્યન સાથે જેલમાં થઇ હતી.
શાહરૂખ ખાનને જોઇને રડી પડ્યો આર્યન
આર્યનને જેલનું ભોજન ભાવતું નથી
વીડિયો કોલમાં માતા ગૌરીએ કરી હતી વાત
પહેલા વીડિયો કોલમાં કરી વાત
આ પહેલા શાહરૂખ ખાન અને ગૌરીની વીડિયો કોન્ફરન્સથી આર્યન સાથે વાત થઇ હતી. મહારાષ્ટ્રમાં કોરોના પ્રોટોકોલના કારણે કેદી સાથે તમે સામ સામે ન મળી શકો પરંતુ 21 ઓક્ટોબરે આ ગાઇડલાઇન્સ હટાવી દેવામાં આવી હતી.
જેલમાં કેવી રીતે થઇ મુલાકાત
હવેથી આર્થર રોડ જેલમાં ઘરના લોકો કે વકીલ જઇને મળી શકે છે. સંબંધીઓએ જેલમાં પહેલા ઇન્ફોર્મ કરવું પડશે. જે બાદ મળવાનો સમય જણાવવામાં આવશે. આધારકાર્ડ સબમિટ કરાવવું પડશે અને કેદીને મળવા માટે ટોકન આપશે.
કેવી રીતે મળ્યો શાહરૂખ
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિકરાને મળતી વખતે શાહરૂખને કોઇ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નહોતી. આર્યન અને શાહરુખ વચ્ચે ગ્લાસ અને ગ્રીલની દિવાલો હતી. આવું કોરોનાના કારણે કરવામાં આવ્યું છે અને શાહરુખ તેમજ આર્યને ઇન્ટરકોમની મદદથી વાત કરી હતી.
15 મીનિટ હતી ઇમોશનલ
ઘણા દિવસે આર્યને પિતાને જોયા તો તે રડી પડ્યો હતો અને શાહરૂખ પણ ઇમોશનલ જોવા મળ્યો હતો. 15 મીનિટ શાહરુખ અને આર્યન માટે ખુબ ભાવૂક હતા. આર્યને શાહરૂખને કહ્યું કે તેને જેલનું ભોજન ભાવતું નથી. જે વાતને લઇને શાહરૂખને ખુબ ચિંતા થઇ હતી.
શાહરુખે અધિકારીને પૂછી આ વાત
આર્યન માટે શાહરૂખે અધિકારીઓને પૂછ્યું કે શું તેને ઘરનું જમવાનું જેલમાં મોકલાવી શકે છે? તેના પર અધિકારીએ કહ્યું કે ઘરેથી જમવાનું આપવા માટે કોર્ટની પરમિશન લેવી પડશે.