શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે ભારત-ચીન એલએસી મુદ્દા પર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી વીકે સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અરજીને નકારી દીધી છે.
વીકે સિંહ માટે રાહતના સમાચાર
સુપ્રીમ કોર્ટે વીકે સિંહ વિરુદ્ધની અરજીને નકારી
દેશ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ હતો
વીકે સિંહના નિવેદનથી ચીનને મળી તક
વીકે સિંહે 7 ફેબ્રુઆરીના રોજ આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે, સામાન્ય જનતાને અંદાજો પણ નહિ હોય કે ભારતે કેટલી વાર પોતાની ધારણા મુજબ એલએસીનો ઉલ્લંઘન કર્યો છે. જો ચીને 10 વાર ઉલ્લંઘન કર્યો હોય તો ભારતે 50 વાર કરવું જોઈએ. વીકે સિંહના આ નિવેદનથી ચીનને ભારત વિરુદ્ધ બોલવા માટે તક મળી ગઈ છે.
સુપ્રીમ કોર્ટે અરજીને નકારી દીધી
ચીફ જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ હૃષિકેશ રોયની પીઠે આ નિર્ણય કર્યો કે, જો વીકે સિંહે કૈક ખોટું કર્યું છે તે જોવાનું કામ પ્રધાનમંત્રીનું છે. સુપ્રીમ કોર્ટ તે મુદ્દા પર કોઈપણ આદેશ આપી શકે નહી. આ નિર્ણયની સાથે જ સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખરન રામાસ્વામી દ્વારા કરવામાં આવેલ અરજીને નકારી દીધી છે.
દેશ વિરુદ્ધ નફરત, તિરસ્કાર અને અસંતોષ ફેલાવવાનો આરોપ હતો
ચંદ્રશેખરન રામાસ્વામીએ દાખેલ કરેલી અરજીમાં વીકે સિંહ પર દેશ વિરુદ્ધ નફરત, તિરસ્કાર અને અસંતોષ ફેલાવવાનો આરોપ હતો. વીકે સિંહે ઘણી બધી ઘટનાઓમાં વિવાદિત નિવેદન આપ્યું છે. અરજીમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે, સેવાનિવૃત્ત જનરલે દાવો કર્યો છે કે ભારતે ઘણીબધી વાર ધારણા મુજબ એલએસીનો ભંગ કર્યો છે.
કોર્ટે કહ્યું કે આ બાબત પર પ્રધાનમંત્રી યોગ્ય પગલા ભરશે
સેવાનિવૃત્ત જનરલે આપેલા આ નિવેદનનો ચીનીયોએ પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો અને ભારતને કથિત રીતે ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાના વકીલને કહ્યું કે, જો કોઈ મંત્રીએ આપેલું નિવેદન પસંદ ના હોય તો એક અરજી દાખલ કરીને તે નિવેદનને બદલવા કે દુર કરવા માટે આગ્રહ કરી શકાય છે. અને જો વીકે સિંહ મંત્રીપદ માટે સારા નથી એ બાબત પર પ્રધાનમંત્રી યોગ્ય પગલા ભરશે.