યુક્રેનની સીમા પાસે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કર્યાનો આરોપ યુક્રેનના સુરક્ષાદળો પર લાગ્યો છે. રોમાનિયાની સીમા સુધી કોઇ પણ રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યાં છે. પરંતુ તેઓને હજુ પણ રોમાનિયાની સીમામાં એન્ટ્રી નથી મળી. યુક્રેનની સીમા પાસે કેટલાંક ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનના સુરક્ષાદળોએ મારપીટ કરી છે. પોલીસ દ્વારા ડંડાથી મારપીટ કરવાનો વીડિયો સામે આવ્યો છે.
વિદ્યાર્થીઓ સાથે મારપીટ કર્યાનો આરોપ યુક્રેનના સુરક્ષાદળો પર આરોપ
વીડિયો મોકલીને સરકાર પાસે માંગી મદદની પોકાર
રાહુલ ગાંધીએ પણ વીડિયો કર્યો ટ્વિટ
કેટલીક જગ્યાઓ પર વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેઓની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. શેહયાની બોર્ડરેથી એક વિદ્યાર્થીએ એક ન્યુઝ ચેનલને એક ઓડિયો ક્લિપના આધારે જણાવ્યું હતું કે, "ત્યાં માત્ર યુ્ક્રેનિયનસને અંદર મોકલી રહ્યાં હતાં. વધારે કોશિશ બાદ માત્ર ઇન્ડિયન છોકરીઓને અંદર જવા દેવાઇ છે. ત્યાર બાદ ત્યાં પોલીસ આવી અને તેઓએ ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ માર્યા. માર્યા બાદ તેઓએ છોકરાઓને ટોર્ચર પણ કર્યા. જેને અસ્થમા હતું, તેને સ્ટમ કરીને દેખાડ્યું કે, how he is breathless. અંદર અમને હંટર નામની એક ગેમ રમવાનું કહેવામાં આવ્યું, જેના વિશે અમને કંઇ જ ખ્યાલ ન હોતો. તેઓ ગન અને ડંડા સાથે ઊભા હતાં. તેઓએ જણાવ્યું કે, 'તમારે આ ગેમ રમવાની છે, તેઓના દ્વારા વિઝા મળશે અને જે લોકો ત્યાં હતા તેઓને લાત મારવામાં આવી. છોકરો-છોકરો કંઇ જ ન હોતું જોવામાં આવ્યું.'
રાહુલ પણ VIDEO ટ્વિટ કર્યો
My heart goes out to the Indian students suffering such violence and their family watching these videos. No parent should go through this.
GOI must urgently share the detailed evacuation plan with those stranded as well as their families.
આ પહેલાં યુક્રેનથી પરત ફરેલા તમિલનાડુની એક વિદ્યાર્થીનીએ રવિવારે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓને રોમાનિયાની સરહદ સુધી પહોંચવા માટે પાંચથી આઠ કિલોમીટર ચાલીને જવું પડે છે. અહીં પહોંચેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, ભારતીય અધિકારીઓએ તેમને રોમાનિયાથી પરત લાવવા માટે ઝડપી કાર્યવાહી કરી છે. પશ્ચિમ યુક્રેનની એક સંસ્થાના વિદ્યાર્થી સેલ્વપ્રિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારમાં સ્થિતિ ઓછી તણાવભરેલી છે અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓને તાત્કાલિક રોમાનિયા ખસેડ્યા હતાં. વિદ્યાર્થીએ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, "અમને વહેલા બહાર કાઢવામાં આવ્યા હતાં, આથી અમે (યુદ્ધ) ના પ્રભાવથી બચી ગયા હતાં પરંતુ યુક્રેનના પૂર્વ ભાગમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે."
પશ્ચિમી ક્ષેત્રના અનેક વિદ્યાર્થીઓ રોમાનિયાની સરહદ પાર કરી ચૂક્યા છે
તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લાના રહેવાસી સેલ્વાપ્રિયાએ જણાવ્યું હતું કે, પશ્ચિમી ક્ષેત્રના અનેક વિદ્યાર્થીઓ રોમાનિયાની સરહદ પાર કરી ચૂક્યા છે અને મુંબઈ અથવા દિલ્હી પહોંચ્યા બાદ તેમના ઘરે પહોંચશે. યુક્રેનથી રોમાનિયા પહોંચવાના અનુભવ અંગે તેમણે કહ્યું કે, યુદ્ધના કારણે સરહદ નજીકના હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે અને રોમાનિયા પહોંચવા માટે તેમને પાંચથી આઠ કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડી હતી.
રોમાનિયા સરહદ સુધી પહોંચવા સુધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
આ સાથે અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, તેને અને અન્ય વિદ્યાર્થીઓને રોમાનિયા સરહદ સુધી પહોંચવા સુધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાર પછીની મુસાફરી સાવ સરળ હતી. વિદ્યાર્થીઓએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર માન્યો હતો. વિદેશી તમિલ કલ્યાણ મંત્રી જિંગી કે એસ મસ્તાને યુક્રેનથી પરત આવેલા તમિલનાડુના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, તમિલનાડુના લગભગ પાંચ હજાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે અને તે બધાને પરત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેરળના 12 વિદ્યાર્થીઓ પણ અહીં પહોંચ્યા હતાં.