કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એ ખૂંખાર આતંકવાદીને દબોચી લીધો છે, જેણે સીઆરપીએફના જવાન મુખ્તાર અહમદ દોહી પર કાલે ગોળી ચલાવી હતી.
કાશ્મીરમાં મોટુ ઓેપરેશન
સુરક્ષાદળોને મળી મોટી સફળતા
ખૂંખાર આતંકીને દબોચી લીધો
કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ એ ખૂંખાર આતંકવાદીને દબોચી લીધો છે, જેણે સીઆરપીએફના જવાન મુખ્તાર અહમદ દોહી પર કાલે ગોળી ચલાવી હતી. સુરક્ષાદળોએ આતંકી પાસેથી ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા છે. એટલુ જ નહીં, આતંકી ઘટનાને અંજામ આપતી વખતે આતંકીને મદદ પહોંચડનારા એક અન્ય ઓવરગ્રાઉન્ડ વર્કરને પણ દબોચી લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કાશ્મીરના શોપિંયામાં કાલે સીઆરપીએફના જવાન મુખ્તાર અહમદ દોહી પર આતંકીઓએ ગોળી ચલાવી હતી. ત્યાર બાદ હોસ્પિટલમાં જતી વખતે આ જવાન શહીદ થઈ ગયા હતા.
સુરક્ષાદળોએ ચલાવ્યું સઘન અભિયાન
માહિતી મળતા જ સુરક્ષાજદળોએ ચારેતરફથી વિસ્તારને ઘેરી લીધો અને સઘન તપાસ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનમાં સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીમાં હત્યારાને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ભારે માત્રામાં દારૂગોળા અને હથિયારો મળી આવ્યા છે. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું હતું કે, સીઆરપીએફના જવાન મુખ્તાર રજા પર પોતાના ગામ આવ્યા હતા.
લશ્કરના નેતાની સૂચનાથી ઘટના
કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે, આ આતંકવાદી ઘટનાને લશ્કર-એ-તૈયબાના ઈશારે અંજામ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ આતંકી ઘટના લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આબિદ રમઝાન શેખના નિર્દેશ પર કરવામાં આવી હતી. આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મહિને ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા
બે દિવસ પહેલા બડગામ જિલ્લાના અદુરા ગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સરપંચ શબ્બીર અહેમદ મીરની હત્યા કરી હતી. આતંકવાદીઓની ગોળીઓથી ઘાયલ થયેલા સરપંચને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. સરપંચ શબ્બીરની પત્ની પણ અદુરાના વોર્ડ 3ના પંચ છે. આ મહિનામાં આતંકવાદીઓ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરવામાં આવી છે. આ પહેલા પણ આતંકવાદીઓએ 9 માર્ચે શ્રીનગરના ખોનમુહમાં પીડીપી સરપંચ સમીર અહેમદ ભટની હત્યા કરી હતી. આ સિવાય 2 માર્ચે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના કુલપોરા સરાંદ્રો વિસ્તારમાં સ્વતંત્ર પંચ મોહમ્મદ યાકુબ ડારને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.