6 ડિસેમ્બર એટલે કે આજે બાબરી ધ્વંસની 27મી વરસી છે. અયોધ્યામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ લગભગ એક મહિના પહેલાંથી જ નિર્ણય સંભળાવી ચૂકી છે.
આજે બાબરી ધ્વંસની 27મી વરસી છે જેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા કેસમાં રામલલા વિરાજમાનના પક્ષમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અયોધ્યામાં અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો.
અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને પહેલાંથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેથી આ સમયે કોઈ હિંસક ઘટનાઓ જોવા મળે નહીં. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી પુનવિચાર અરજી દાખલ કરવામા આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનવિચાર અરજી દાખલ કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે સંવિધાન પીઠના આદેશ પર રોક લગાવવામાં આવે જેમાં કોર્ટે વિવાદિત જમીનને રામ મંદિરના પક્ષમાં રાખી છે.
સુપ્રીમ કોર્ટને કરાયું આ નિવેદન
અરજીમાં સુપ્રીમ કોર્ટને નિવેદન કરવામાં આવ્યું છે કે તે કેન્દ્ર સરકારને રામ મંદિરને માટે ટ્રસ્ટ બનાવવાથી રોકે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટે 1934, 1949 અને 1992માં મુસ્લિમ સમુદાયની સાથે થયેલા અન્યાયને ગેરકાનૂની ગણાવ્યો છે. સાથે જ તેને નકારવામાં પણ આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં પૂર્ણ ન્યાય ત્યારે મળશે જ્યરે મસ્જિદ ફરીખી બનાવવામાં આવશે.