કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની સજાના વિરોધમાં આતંકી સંગઠનો દિલ્હીમાં મોટાપાયે હુમલા કરી શકે છે તેવું એલર્ટ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી.
યાસીન મલિકને થયેલી સજાના વિરોધમાં આતંકીઓ કરી શકે મોટા હુમલા
દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું મળ્યું એલર્ટ
સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક
દિલ્હી પોલીસને 6 થી 7 સંવેદનશીલ એલર્ટ મળ્યાં
ટેરર ફંડિગ કેસમાં યાસિન મલિકને થઈ છે આજીવન કારાવાસની સજા
ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ દેશની ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી અને એનસીઆરમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે યાસીન મલિકને દોષી ઠેરવવાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકી હુમલો થઈ શકે છે.
દિલ્હી પોલીસને 6 થી 7 સંવેદનશીલ એલર્ટ મળ્યાં
દિલ્હી પોલીસને સુરક્ષા એજન્સીઓ તરફથી લગભગ 6 થી 7 સંવેદનશીલ એલર્ટ મળ્યા છે. ગુપ્તચર વિભાગ તરફથી દિલ્હી પોલીસને મળેલા ઈનપુટ્સ મુજબ દિલ્હીની તિહાર જેલમાં બંધ અલગાવવાદી નેતા યાસીન મલિકને દોષી ઠેરવવાના વિરોધમાં દિલ્હી એનસીઆરમાં આતંકી હુમલો કરવામાં આવી શકે છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર આતંકીઓના નિશાના પર છે.
સરહદ પારથી બનાવાઈ રહી છે આતંકી હુમલાની યોજના
એનઆઈએ કોર્ટે યાસીન મલિકને દોષિત ઠેરવ્યો તે દિવસે સરહદ પારથી આતંકી હુમલાની યોજના બનાવવામાં આવી હતી. આ જ દિવસથી દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતત એ વાતથી સતર્ક છે કે યાસીન મલિકને દોષિત ઠેરવવાના વિરોધમાં તેના કટ્ટર સમર્થકો અને તેના નજીકના આતંકી સંગઠનોના વડાઓ સરહદ પારથી દિલ્હી એનસીઆરમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા છે.
શંકાસ્પદ નંબર પ્લેટ પર બાજ નજર
ટુ-વ્હીલર પર ગુપ્તચર માહિતી સાથે નજર રાખવામાં આવી રહી છે કે આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને જે ટુ વ્હીલર્સ નંબર પ્લેટ કે શંકાસ્પદ નંબર પ્લેટ વગરના જોવા મળે છે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ટેરર ફંડિગ કેસમાં યાસિન મલિકને આજીવન કારાવાસની સજા
કાશ્મીરીના અલગાવવાદીઓને મોટો ફટકો પડ્યો છે. ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને એનઆઈએ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આજીવન કારાવાસની સજાની સાથે કોર્ટે યાસિન મલિકને 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. બુધવારે એનઆઈએ કોર્ટમાં યાસિન મલિકની સજા અંગે દલીલબાજી ચાલી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે મલિકે માટે ફાંસીની સજાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન મલિકે એવી કબૂલાત કરી લીધી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે એનઆઈએ કોર્ટ મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ પહેલા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા અંગે કોર્ટમાં ચર્ચા થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સજા સંભળાવતા પહેલા પટિયાલા કોર્ટ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટ રૂમની બહાર કેપીએફ, સ્પેશિયલ સેલના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.