કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે હવે ભારતમાં ધીમે ધીમે પ્રતિબંધોની શરૂઆત કરવામાં આવી રહી છે.
ગાઝિયાબાદમાં ધારા 144 લાગુ
લખનૌ બાદ વધુ એક શહેરમાં લેવાયો નિર્ણય
ઓમિક્રૉન વેરિયન્ટને જોતાં લેવાયો નિર્ણય
એક બાદ એક શહરોમાં પ્રતિબંધો
કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે અને ભારતમા પણ ચિંતા વધી રહી છે ત્યારે એક બાદ એક શહેરોમાં પ્રતિબંધોની શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે લખનૌ બાદ હવે આજે ગાઝિયાબાદમાં ધારા 144 લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
27 જાન્યુઆરી સુધી આદેશ અપાયા
ગાઝિયાબાદમાં તંત્ર દ્વારા 27 જાન્યુઆરી સુધી ધારા 144 લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ સાર્વજનિક સ્થાન પર પાંચથી વધારે લોકોને ભેગા થવાની મંજૂરી રહેશે નહીં. કોઈ પણ પ્રકારના આયોજન, પ્રદર્શન માટે તંત્રની મંજૂરી લેવાની રહેશે. અને આદેશોનું પાલન નહીં કરનારાઓને કડક સજા કરવામાં આવશે.
ગઇકાલે જ લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી
કોરોનાના નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. અનેક રાજ્યોમાં સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય થયો તો શહેરમાં પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે, ગઇકાલે જ રાજ્યની રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. લખનૌમાં ક્રિસમસ 31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને 2 ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે. પોલીસે મંગળવારે આને લઈને જારી આદેશમાં કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ લખનૌમાં 5 જાન્યુઆરી 2022 સુધી નિષેઘાજ્ઞા લાગૂ રહેશે. પોલીસ આયુક્ત ડી. કે. ઠાકુરે જણાવ્યું કે શાસન તરફથી લાગૂ કરવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનુ રહેશે. આ દરમિયાન વિધાન ભવન અને તેની આસપાસ એક કિલોમીટરના દાયરામાં વિશેષ સતર્કતા રહેશે.