ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચીનના વુહાનમાં કોરોના વાયરસ ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા અને ત્યારથી અત્યારસુધીમાં દુનિયામાં 2 કરોડથી પણ વધારે લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના 2012માં જ આવી ચૂક્યો હતો. આ દાવાના આધારે ચીનની એક ખાણમાં 6 મજૂરોને નિમોનિયા જેવો વાયરસ થયો હતો. આ મજૂરો ચામાચિડિયાનું મળ સાફ કરી રહ્યા હતા. તેમાંથી 3ના મોત થયા હતા. ખાસ વાત તો એ છે કે આ ઘટનાનું કનેક્શન વુહાન લેબ સાથે હતું.
2012માં જ ચીનમાં આવ્યો હતો કોરોના વાયરસ
ચામાચિડિયાના કારણે એક ખાણમાં થયા હતા 3 મજૂરોના મોત
વુહાન લેબ સાથે હતું આ વાયરસનું કનેક્શન
શું થયું હતું 2012માં
વૈજ્ઞાનિકોને હવે માહિતી મળી છે કે ચીનના દક્ષિણ પશ્ચિમના યુન્ના પ્રાંતની મોજિયાંગ ખાણમાં 6 મજૂરો બીમાર થયા હતા. આ લોકો ખાણમાં ચામાચિડિયાના મળને સાફ કરવાનું કામ કરી રહ્યા હતા. દ સનના રિપોર્ટ અનુસાર આ મજૂરોની સારવાર કરનારા ફિઝિશ્યિને જણાવ્યું કે તેમને ખૂબ જ તાવ, સૂકી ખાંસી, હાથ પગમાં દર્દ અને ક્યારેક માથાનો દુઃખાવો પણ રહેતો હતો. આ દરેક લક્ષણો આજે કોરોનાના દર્દીમાં જોવા મળે છે. આ ખીણ વુહાનથી 1000 મીલ દૂર છે. આ ઘટનાનું કનેક્શન વુહાનની વાયરોલજી લેબ સાથે જોડાયેલું હતું.
ગયા વર્ષે ફરીથી કઈ રીતે લીક થયો કોરોના
વાયરોલોડિસ્ટ જોનાથન લૈથમ અને મોલિક્યૂલર બાયોલજિસ્ટ એલિસન વિલ્સન બાયોસાયન્સ રિસોર્સ પ્રોજેક્ટને માટે ઈથકામાં કામ કરે છે. તેઓએ લી શૂનો થિસિસ વાંચ્યો છે. તેઓએ કહ્યું કે તેમાં જે જાણકારી મળી છે તેને જોતાં તેઓ મહામારીને નવી રીતે સમજી શકશે. તેઓએ દાવો કર્યો છે કે મજૂરોના સેમ્પલ ટિશ્યૂ વુહાન લેબ મોકલાયા હતા અને ત્યાં આ વાયરસ લીક થયો હતો. અહીં એ વાતનો ખ્યાલ આવે છે કે ચામાચિડિયા જ ઘાતક વાયરસને ફેલાવે છે.
વુહાનની લેબ પર રખાઈ રહી છે શંકા
કોરોના વાયરસ ફેલ્યા બાદથી ચીનની વુહાન લેબ શંકાના કેન્દ્રમાં છે. કહેવાય છે કે અહીંના વેટ માર્કેટથી વાયરસ ફેલાયો છે જ્યારે એ પણ આરોપ છે કે આ વાયરસ વુહાનની વાયરોલોજી લેબથી લીક થયો છે. અહીં ચામાચિડિયામાં મળનારા ખતરનાક વાયરસ પર રિસર્ચ થાય છે. લેબને અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ SARS-CoV-2 લોકોમાં ઈન્ફેક્શન ફેલાવ્યા બાદ જોવા મળ્યો છે. એ પહેલાં નહીં.