કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિર કેસની પુનઃ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે આ કેસને 7 જજની બંધારણીય બેંચને સોપ્યો છે. આ મુદ્દે હવે 7 જજની ઉપલી અર્થાત્ બંધારણીય બેંચ ચુકાદો સંભાળાવશે. આ સાથે સુપ્રીમે નોંધ્યું કે આ ચુકાદો માત્ર સબરીમાલા મંદિર સુધી સીમિત નથી. જો કે હજુ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી ચાલુ રહેશે. 28 સપ્ટેમ્બરે આપેલા સુપ્રીમના ચુકાદામાં કોઈ સ્ટે લગાવ્યો નથી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ મહિલાઓને લઈને પણ સુનાવણી ઉપલી બેંચ જ કરશે.
સબરીમાલા કેસને લઈનો નિર્ણય
7 જજોની બેંચ કરશે નિર્ણય
મહિલાઓ મંદિરમાં કરી શકે છે પ્રવેશ
ચાલુ રહેશે મહિલાઓની એન્ટ્રી
5 જજની બેઠકમાંથી 3 જજનું માનવું છે કે આ કેસને 7 જજની બેંચમાં મોકલી દેવામાં આવે. જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ચંદ્રચૂડે તેનાથી અલગ મત આપ્યો. અંતે 5 જજની બેંચેં 3:2ના નિર્ણયને 7 જજની બેઠકને સોંપવામાં આવ્યો છે. જો કે સબરીમાલા મંદિરમાં પણ હાલમાં મહિલાઓની એન્ટ્રી ચાલુ રહેશે. જસ્ટિસ નરીમને નિર્ણય વાંચતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ રહેશે. નિર્ણયનું પાલન કરવું કોઈ વિકલ્પ નથી. સંવૈધાનિક મૂલ્યોની પૂર્તિ કરવાનું સરકારે સુનિશ્ચિત કરવું જોઈશે.
#SabarimalaTemple review petitions in Supreme Court:
Chief Justice of India, said, "the entry of women into places of worship is not limited to this temple, it is involved in the entry of women into mosques and Parsi temples." https://t.co/ha1jh4JPxl
સુપ્રીમ કોર્ટે ઉપલી બેંચને સોંપ્યો નિર્ણય, 7 જજની બેંચ કરશે નિર્ણય. માત્ર સબરીમાલા નહીં, મસ્જિદમાં પણ મહિલા પ્રવેશ મુદ્દે આપશે નિર્ણય.સબરીમાલા ચુકાદા પર નિર્ણય વાંચતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની અસર આ મંદિર નહીં પણ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગ્યારીમાં પારસી મહિલાઓના પ્રવેશ પર ભારે પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજની બેંચે આ નિર્ણયને 3:2ના આધારે નિર્ણય ઉપલી બેંચને સોંપવાનું નક્કી કર્યું છે.
The September 28, 2018 judgement of the Supreme Court - which had lifted the ban that prevented women and girls between the age of 10 to 50 from entering the #Sabarimala Temple - was not stayed by the apex court today. pic.twitter.com/FyW0Zzku4F
આજે સુપ્રીમ કોર્ટ પુનઃવિચારણા અરજી પર ચુકાદો સંભળાવી શકે છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટાવી લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને સર્વોચ્ચ માનવામાં આવે છે. મહિલાઓને દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. એવામાં મંદિરમાં મહિલાઓ પર પ્રતિબંધ સ્વીકાર્ય નથી. મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતી મળ્યા બાદ કેરળમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફેરવિચારણા અરજી દાખલ કરાઈ હતી.
Supreme Court, by a majority of 3:2, has referred the review petitions to a larger constitution bench. Justice Rohinton Fali Nariman and Justice DY Chandrachud gave dissent judgement. #Sabarimalahttps://t.co/xBcxf6bFeV
SCના નિર્ણય પહેલાં વધારવામાં આવી સબરીમાલાની સુરક્ષા, 10 હજાર જવાન તૈનાત
સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાંથી જ સબરીમાલા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરની આસપાસ 10 હજાર પોલિસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે જ 16 નવેમ્બરથી મંડલમ મકર વિલક્કી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. 2 મહિના સુધી ચાલનારા આ વાર્ષિક તીર્થયાત્રાને માટે પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
સબરીમાલા ચુકાદા પર નિર્ણય વાંચતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની અસર આ મંદિર નહીં પણ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, અગ્યારીમાં પારસી મહિલાઓના પ્રવેશ પર ભારે પડશે.