બ્યૂરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓ પર CJIની ટિપ્પણી, દેશમાં પરિસ્થિતિ દુ:ખદ, સત્તાધારી પાર્ટી સાથે મળી જાય છે પોલીસ
અમલદારશાહી પર વિફર્યા દેશનાં મુખ્ય ન્યાયાધીશ
ખાસ કરીને પોલીસનાં વર્તનને લઈને CJIએ કાઢી ઝાટકણી
એક નવી સ્ટેન્ડિંગ કમિટી બનાવવાની વાત
સરકારી અધિકારીઓ અને પોલીસનાં વ્યવહાર પર મને વાંધો છે: CJI
રાજનેતાઓ અને અધિકારીઓ અને તેમાંય ખાસ કરીને પોલીસ અધિકારીઓ વચ્ચેનાં સંબંધને લઈને દેશની સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનાં CJI રમન્નાએ કહ્યું કે મને વાંધો છે કે દેશનાં અધિકારીઓ અને તેમાંય ખાસ કરીને પોલીસ દેશમાં કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છે. એકવાર વિચાર્યું હતું કે આવી ફરિયાદોને લઈને એક સ્ટેન્ડિંગ કમિટી જ બનાવી દેવામાં આવે.
અરજી પર સુનાવણી દરમિયાન કરી ટિપ્પણી
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ અલગ અલગ અરજીઓ સુનાવણી કરવામાં આવી રહી હતી. એવામાં સિનિયર IAS અધિકારી ગુરજિંદર પાયલ સિંઘની એક પણ અરજી હતી જેમના પર રાજ્ય સરકાર દ્વારા ગંભીર ભ્રષ્ટાચારનાં આરોપ લગાવવામાં આવ્યા છે.
નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જ્યારએ કોઈ પાર્ટી સત્તામાં આવે છે ત્યારે પોલીસ અધિકારી એક વિશેષ પાર્ટીની સાથે હોય છે અને જ્યારે કોઈ નવી પાર્ટી પાવરમાં આવે ત્યારે તે અધિકારીઓ સામે તે સરકાર કાર્યવાહી કરવાનું શરૂ કરી દે છે. આ એક નવો જ ટ્રેન્ડ છે જેને રોકવાની જરૂર છે.