સુપ્રીમ કોર્ટે શનિવારે સર્વ સંમતિથી અયોધ્યા કેસને લઈને નિર્ણય આપ્યો હતો. જેમાં કોર્ટના નિર્ણયમાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે મસ્જિદના નિર્માણને માટે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.
5 જજની ખંડપીઠે 1045 પાનામાં આપ્યો ચુકાદો
45 મિનિટ સુધી વાંચ્યો ચુકાદો
ચુકાદામાં સૌથી વધુ વખત લખાયો મસ્જિદ શબ્દ
અયોધ્યા કેસમાં 5 જજની બેન્ચે 45 મિનિટમાં ચુકાદો આપ્યો. તેઓએ 1045 પાનાં વાંચ્યા હતા. જાણો ચુકાદામાં કયા શબ્દોનો કેટલી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રામલલાનો ઉલ્લેખ ફક્ત 2 વખત કરવામાં આવ્યો, રામજન્મભૂમિનો ઉલ્લેખ 3 વખત અને મસ્જિદ શબ્દનો ઉલ્લેખ સૌથી વધુ વખત એટલે કે 1433 વાર કરવામાં આવ્યો. આ
મંદિર શબ્દ 696 વાર અને મસ્જિદ શબ્દ 1433 વખત લખવામાં આવ્યો છે.
મહંત શબ્દનો ઉપયોગ 230 વાર કરવામાં આવ્યો છે.
રામ શબ્દને 1062 વાર લખવામાં આવ્યો છે.
પૂજા શબ્દને 223 વાર લખવામાં આવ્યો છે.
સંપત્તિ શબ્દ 908 વાર લખવામાં આવ્યો છે
ઢાંચા શબ્દ 612 વાર લખવામાં આવ્યો છે.
નિર્મોહી શબ્દ 493 વાર અને અખાડા શબ્દ 501 વાર લખવામાં આવ્યો છે.
કાયદો શબ્દ 515 વાર લખાયો છે.
હિન્દુ શબ્દનો પ્રયોગ 516 વખત કરવામાં આવ્યો છે.
મુસ્લિમ શબ્દનો ઉપયોગ 549 વખત કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં અયોધ્યા શબ્દનો ઉપયોગ 527 વખત કર્યો છે.
બાબરી શબ્દનો ઉપયોગ 254 અને બાબર શબ્દનો ઉપયોગ 170 વખત કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ શબ્દનો ઉપયોગ કુલ 3 વખત કરવામાં આવ્યો છે.