મોટાભાગે જોવા મળે છે કે લોકો હોમ લોન લઈને ઘરનું બુકિંગ કરાવી લે છે પરંતુ પઝેશન મળતા પહેલાં જ પ્રોજેક્ટ અટકી જાય છે. એવામાં લોકોને ઘર પણ મળતું નથી અને તેઓ હોમ લોન પણ આપી રહ્યા હોય છે.
ઘર લેવામાં બેંક કરશે તમારી મદદ
SBIએ લોન્ચ કરી નવી સ્કીમ
પઝેશન મળવામાં મોડું થશે તો મળશે આ ફાયદો
SBIએ લોન્ચ કરી આ નવી સ્કીમ
હવે ઘર ખરીદનારાઓને માટે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે એક ખાસ સ્કીમ રેશિડેંશલ બિલ્ડર ફાઈનેંસ વિથ બાયર ગેરેંટી સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમના આધારે ખરીદનારને નક્કી સમયે ઘરનું પઝેશન નહીં મળે તો બેંક ગ્રાહકને પૂરેપૂરું પ્રિન્સિપલ એમાઉન્ટ પાછું આપશે.
આ રિફંડ સ્કીમનો લાભ કેવી રીતે મળશે.
આ રિફંડ સ્કીમ ત્યાં સુધી માન્ય રહેશે જ્યાં સુધી ઘર ખરીદનારને પઝેશન મળતું નથી. હાલમાં SBI દ્વારા 10 શહેરોમાં આ સ્કીમ લાગૂ કરવામાં આવી છે. આ સ્કીમના આધારે મહત્તમ 2.5 કરોડ રૂપિયાની કિંમતના મકાનને માટે હોમલોન મળી શકે છે.
ઉદાહરણ તરીકે,
માની લો કે તમે 2 કરોડ રૂપિયાનો ફ્લેટ બુક કરાવ્યો છે. અને 1 કરોડ રૂપિયા તમે આપી ચૂક્યા છો. એવામાં પ્રોજેક્ટ અટકી જાય છે તો SBI તમને 1 કરોડ રૂપિયા રિફંડ કરશે. બેંકની તરફથી આપવામાં આવેલી ગેરેંટીનો સમય પઝેશન સાથે જોડાયેલો રહેશે. આ ગેરેંટી રેરા રજિસ્ટર્ડ યોજનાઓ પર પણ લાગૂ થશે. તેની સીમા પૂરી થયા બાદ પ્રોજેક્ટને અટકેલો ગણી લેવામાં આવશે.
શું થશે ફાયદો
SBIની તરફથી મળતી માહિતી અનુસાર આ સ્કીમની અસર રિયલ એસ્ટેટ સેક્ટરની સાથે એ મકાન ખરીદનારો પર પડશે જે મકાનનું પઝેશન ન મળવાના કારણે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. રેરા, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીના નિયમોમાં ફેરફાર સિવાય પણ ફાયદો આપે છે. જે લોકો મકાન સમયસર ન મળવાના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાય છે તેમને માટે આ એક સારો વિકલ્પ છે. મંદ પડેલા રિયલ એસ્ટેટ સેક્ટરને વધારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ સાથે સરકારે પ્રોજેક્ટને પૂરા કરવા માટે પણ 25000 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે.