અસહ્ય દર્દથી પીડાતો માનવી હંમેશા મોતની આરાધના કરતો હોય છે.ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દિનેશ મૈસુરીયાનો 11 વર્ષનો પુત્ર SSPEની બિમારીથી પિડાઈ રહ્યો છે.ઇચ્છા મૃત્યુ માટે પરિવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ કરી છે.
પરિવારે કહ્યું કે આ રોગ માટે સંશોધન કરો અથવા તેને ઇચ્છા મૃત્યૃની પરવાનગી આપો. ઉલ્લેખનીય છે કે દિનેશ મૈસુરીયાનો એકનો એક દિકરો પાર્થ છેલ્લા દોઢ વર્ષથી SSPEની બિમારીથી પીડાઈ રહ્યો છે. પુત્રને સાજો કરવા આ પરિવારે ઘરેણાં મકાન અને બીજુ બધુ જ વેચી નાખ્યું અને પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી એમ્સમાં સારવાર અપાવી છતાં પાર્થને પરિણામ ન મળ્યું.