રાજકોટમાં જેતપુરમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં ફરી વળ્યું. જેના પગલે નદીમાં આ કેમિકલયુક્ત પાણીથી સફેદ ફીણના ગોટે ગોટા ઉડતા નજરે પડયાં.
કેમિકલયુક્ત પાણી ફરી વળતા ગ્રામજનોએ આરોપ કર્યો છે કે કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવાતા તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. ગ્રામજનોએ આ બાબતે તંત્રને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી ગ્રામજનો પણ રોષે ભરાયા છે.