ગાંધીનગરઃ રાજ્યમાં ભાવાંતર યોજના લાગુ કરવા માટે વેપારીઓ માગ કરી રહ્યા છે. તેમની આ માગને લઈને વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં હડતાળ પાળવામાં આવી હતી. જોકે હડતાળ પાળી હોવા છતા સરકાર દ્વારા કઈ થયું જ નહીં હોવાનો રાગ આલાપવામાં આવ્યો હતો.
કૃષિમંત્રીએ તો જણાવ્યું હતું કે બે જગ્યાને બાદ કરતા તમામ યાર્ડ ખુલ્લા હતા. જોકે આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના નિવેદનમાં ફળદુના નિવેદનની પોલ ખોલી નાખી હતી અને સ્વીકાર્યુ હતું કે રાજ્યમાં યાર્ડ બંધ રહ્યા હતા.
ત્યારે અનેક સવાલો થાય છે કે કોણ સાચુ સરકાર કે ભાજપ ? કેમ ફળદુ આંખ આડા કાન કરે છે ? કેમ સરકાર અને ભાજપના નિવેદનમાં વિરોધાભાસ ? ભાવાંતર યોજના મુદ્દે બેવડુ વલણ ? મંત્રી અને પ્રદેશ પ્રમુખનું સંકલન નથી ?
સૌરાષ્ટ્રના માર્કેટ બંધનો દાવો ખોટોઃ ફળદુ
ભાવાંતર યોજના લાગૂ કરવા મામલે સૌરાષ્ટ્ર APMC યાર્ડ એસોસિએશન દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ નિવેદન આપ્યુ છે કે ભાવાંતર યોજનાને લઈને સૌરાષ્ટ્રના માર્કેટ બંધનો દાવો ખોટો છે. આજે સૌરાષ્ટ્રના તમામ APMC યાર્ડ ચાલુ છે. અમરેલી દ્વારકા જામનગર અમરેલી અને રાજકોટ સહિત જિલ્લાના માર્કેટ યાર્ડ ચાલુ છે.
મગફળી વેચવા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂઃ ફળદુ
તેમણે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ ચાલુ છે. માર્કેટિંગ યાર્ડ બંધ હોવાનો દાવો ખોટો છે. ખરીફ સીઝનના પાકો ઉત્પાદન થયું છે. બેઠકમાં મુખ્યમંત્રી ભાવાંતર યોજના બાબતે ચર્ચા થઇ છે. અન્ય રાજ્યોની ભાવાંતર યોજનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદી કરવી ખેડૂતોના હીતમાં છે. મગફળી વેચવા માટે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. 2 કલાકમાં 4 હજાર 65 ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો વિરોધ કરી રહ્યાં નથી. કેટલીક APMC ખાતે દલાલોએ વિરોધ કર્યો છે. રાજ્યભરના ખેડૂતોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. મગફળી પકવતા મુખ્ય 2 રાજ્યોના સરેરાશ ભાવો જોવામાં આવે છે.
વેપારીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને હડતાળઃ વાઘાણી
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવા માટે વેપારીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને હડતાળ કરી રહ્યા છે. જોકે સરકાર આ મામલે તાત્કાલિક પગલા ભરીને માગને સંતેષવાનો પ્રયાસ કરશે.