કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર આજે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હીના મંત્રીની જામીન અરજી પર કોર્ટ 18 જૂને ચુકાદો સંભળાવશે.
દિલ્હીના મંત્રી સાથે ઈડીની પુછપરછ
પુછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
18 જૂને નિર્ણય સંભળાવશે કોર્ટ
કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર આજે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હીના મંત્રીની જામીન અરજી પર કોર્ટ 18 જૂને ચુકાદો સંભળાવશે એટલે કે ત્યાં સુધી સત્યેન્દ્ર જૈનને જેલમાં જ રહેવું પડશે. સુનાવણી દરમિયાન EDએ પણ ચોંકાવનારો દાવો કર્યો હતો.
ઈડી એ ગેરકાયદેસર રીતે જપ્ત કરેલી સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. હવે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ઈડીએ એ કહ્યું કે પૂછપરછ દરમિયાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, તેમને કોરોના થયો હતો, એટલા માટે તેમની યાદશક્તિ જતી રહી છે.
ઈડીએ જણાવ્યું હતું કે, ત્યારે સત્યેન્દ્ર જૈને અમુક દસ્તાવેજો વિશે સવાલો કર્યા હતા. હવાલાથી પૈસા મેળવનારા ટ્રસ્ટ પાસેથી સત્યેન્દ્ર જૈનનું શું કનેક્શન છે, તે તેના મેમ્બર શું કામ છે, તેના પર સવાલો પૂછવામાં આવી રહ્યા હતા.
સત્યેન્દ્ર જૈનને ઈડીએ 30 મેના રોજ ધરપકડ કરી હતી, તેના પર આવકથી વધારે સંપત્તિ અને મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો હતો. તેમના ઘર પર ઈડીએ દરોડા પાડ્યા હાત. ઈડીએ દાવો કર્યો હતો કે, કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈને પત્ની અને દિકરીઓના નામ પર 16 કરોડથી છેતરપીંડી કરી હતી. તો વળી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ કેસને ખોટો ગણાવ્યો હતો.