બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Saturn will rise one day before Holi, keep these 5 zodiac signs safe

શનિ ઉદય / હોળીના એક દિવસ પહેલાં થશે શનિનો ઉદય, આ 5 રાશીના જાતકો સાચવીને રહેજો

Megha

Last Updated: 10:19 AM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષી અનુસાર શનિદેવ હોળીના એક દિવસ પહેલા ઉદય પામવાના છે. જણાવી દઈએ જે શનિદેવ 6 માર્ચે રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે.

  • શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે
  • શનિદેવ 6 માર્ચે રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે
  • શનિનો ઉદય આ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે. આ સાથે જ એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે.  શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. 

જ્યોતિષી અનુસાર શનિદેવ હોળીના એક દિવસ પહેલા ઉદય પામવાના છે. જણાવી દઈએ જે શનિદેવ 6 માર્ચે રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં ઉદય કરશે. આ સાથે જ જ્યોતિષીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શનિદેવના ઉદયથી પાંચ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં વધારો થશે. એટલે કે એ રાશિના જાતકોને 6 માર્ચ પછી ખૂબ જ સાવધાન રહેવું પડશે.

શનિનો ઉદય આ રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે

મેષ
મેષ રાશિના જાતકો જો કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એ યોજનાને હાલ મુલતવી રાખવી જોઈએ. જણાવી દઈએ કે રોકાણ કરનારાઓ માટે આ સમય કષ્ટદાયક રહેશે. સાથે જ મેષ રાશિના જાતકોના ખર્ચમાં વધારો થશે અને આવકમાં અવરોધ આવશે. આ કારણે પૈસાની તંગી વધી શકે છે. 

કન્યા 
શનિદેવનો ઉદય કન્યા રાશિના જાતકોના આત્મવિશ્વાસને અસર કરશે. પરિવાર સાથે મતભેદ વધી શકે છે. સાથે જ આ સમયે અજાણ્યા લોકોથી સાવધાન રહેવું અને પૈસાની લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી. શનિના ઉદય સમયે આ રાશિના લોકોની વાણી પર નિયંત્રણ ન રહેવાને કારણે સંબંધો બગડતા જોવા મળશે સાથે જ વિવાહિત જીવનમાં પણ ખટાશ આવી શકે છે.

વૃશ્ચિક
શનિદેવના ઉદયથી વૃશ્ચિક રાશિના જાતકોને ધંધામાં નુકસાનની પ્રબળ સંભાવના છે આ સાથે જ મોટો અને નફાકારક સોદો તમારા હાથમાંથી સરકી શકે છે. શનિદેવનો ઉદય વૃશ્ચિક રાશિના જાતકોને વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ વધી શકે છે.

મકર
શનિનો ઉદય મકર રાશિના લોકોના સંબંધોને પ્રભાવિત કરી શકે છે. જણાવ દઈએ કે આ સમયમાં ભાઈ-બહેન સાથે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય માટે પણ સમય સારો નથી. કરિયરની દ્રષ્ટિએ પણ સમય મુશ્કેલ છે. 

મીન
શનિના ઉદય પછી મીન રાશિના જાતકો દ્વારા ઉતાવળમાં લેવાયેલ દરેક નિર્ણય તમારી મુશ્કેલીમાં વધારો કરશે. એ સમયે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ તમારા ઘરનું બજેટ બગાડશે. નોકરી-ધંધાના લાભમાં ઘટાડો થઈ શકે છે. અકસ્માત થવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ