કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ ખાલી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી છે. ગુરુવારે રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગત વર્ષે એક માર્ચ સુધીના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગોમાં કુલ 6.83 લાખ પદ ખાલી છે.
કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ ખાલી
જિતેન્દ્ર સિંહે કહ્યું, સ્ટાફ સિલેક્શન કમિશને 1,05,338 ખાલી પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે
ગ્રુપ સી અને લેવલ-1ની કુલ 1,56,138 પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી
તેમાંથી કોઇ ગ્રુપમાં કેટલા પદ છે. કેટલા પદો પર કયા વિભાગ દ્વારા ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે? રેલવે અને SAC દ્વારા 2019-2020માં કેટલા પદો ભરવામાં આવી રહી છે? કેન્દ્રીય મંત્રીએ આ તમામ સવાલોના જવાબ પણ આપ્યા છે. તેના વિશે અહીં જાણો.
વિભિન્ન વિભાગોમાં કુલ ખાલી પદ (Vacant Post in Central Govt Departments) - 6, 83, 823
ગ્રુપ સી (Group C) માં ખાલી પદ : 5,74,289
ગ્રુપ બી (Group B) માં ખાલી પદ : 89,638
ગ્રુપ એ (Group A) માં ખાલી પદ : 19,896
જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC-Staff Selection Commission) એ 1,05,338 ખાલી પદો પર ભરતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતીઓ 2019-20માં કરવામાં આવી રહી છે.
જ્યારે રેલ મંત્રાલય (Ministry of Railway) અને રેલવે ભરતી બોર્ડ (RRB-Railway Recruitment Board) પણ વર્ષ 2017-18માં 1,27,573 પદો માટે ઘણી કેન્દ્રીયકૃત રોજગાર સૂચનાઓ (CEN-Centralised Employment Notification) જાહેર કરી ચૂકી છે. તેના પર ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ ભરતી ગ્રુપ સી અને લેવલ-1 પદો પર થઇ રહી છે.
આ ઉપરાંત ગ્રુપ સી અને લેવલ-1 પદો માટે પાંચ સૂચનાઓ 2018-19માં જાહેર કરવામાં આવી છે. તેના દ્વારા કુલ 1,56,138 પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
SSC ઉપરાંત વિભિન્ન ગ્રેડ્સમાં 19,522 વિભાગીય પદોને ભરવા માટે પરીક્ષાઓ પણ આયોજિત કરવામાં આવી ચૂકી છે. મંત્રીએ જણાવ્યું કે, આ પ્રકારે SSC, RRB/ રેલવે સહિત અન્ય વિભાગો દ્વારા કુલ 4,08,591 પદો પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે.
રાજ્યસભામાં ખાલી પદો અને ભરતી પ્રક્રિયાઓ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું કે નિયુક્તિ પ્રક્રિયાઓ જલ્દી પૂર્ણ થાય, તેના માટે સંસ્થાઓ કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાઓ આયોજિત કરી રહી છે.
આ ઉપરાંત 1 જાન્યુઆરી 2016થી સરકારે ગેઝેટેડ પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ કરી છે. લંબાયેલ ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થવા સુધી ઘણી જગ્યાઓ પર અસ્થાઇ નિયુક્તિઓ કરવામાં આવી રહી છે.