સરદાર સરોવરમાં નર્મદા ડેમ ફરી એક વખત છલકાયો છે અને તે પોતાની ઐતિહાસિક સપાટીએ છે. નર્મદા ડેમે આ વખતે 136.01 મીટરની સપાટી આંબી છે. 140.21 મેક્સીમમ વોટર લેવલ છે. ઉપરવાસમાંથી 4.25 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમ છલકાયો છે. નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.
નર્મદા ડેમની ઉંચાઈ 163 મીટર રાખવામાં આવી છે. નર્મદા ડેમ એ હિમાચલ પ્રદેશના ભાખડા-નાંગલ અને ઉત્તરપ્રદેશના લખવાર બાદ ત્રીજા નંબરનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો ડેમ છે. જ્યારે વોલ્યુમની દ્રષ્ટીએ અમેરિકાના ગ્રાન્ડ કાઉલ બાદ નર્મદા ડેમનું નામ આવે છે જેની કેપેસીટી 6.82 મિલિયન ક્યુસેકની છે. અને ઉપરવાસમાંથી હાલ 4.25 ક્યુસેક પાણીની આવક થઈ છે.
સરદાર સરોવર પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં પાણીની તંગીને પુરી પાડવામાં સફળ રહ્યો છે. સરદાર સરોવર નિગમ લિમીટેડ અનુસાર ડેમનું મેક્સીમમ વોટર લેવલ 140.21 મીટર છે. ત્યારે અત્યારે જે રીતે પાણી જે સપાટીએ પહોંચ્યુ છે તે ખરેખર ભયજનક સ્થિતિ છે. હાલમાં નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. ઓગસ્ટથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક શરુ થઈ ગઈ છે. ઉપરવાસમાંથી સતત આવી રહેલું પાણી હાલમાં સરદાર સરોવરને છલકાવી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં વરસી રહેલો વરસાદ નર્મદ ડેમના વોટર લેવલને અસર કરે છે. ડેમની કેપેસીટી 6.82 મિલિયન ક્યુસેકની છે ત્યારે સતત પાણીની આવક ચિંતાજનક છે.