ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકેલી સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન સુંદરતાને કારણે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે તેના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલ તે તેની અપકમિંગ ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના પેરેન્ટ્સને લઈને આ વાત જણાવી હતી.
ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં વ્યસ્ત સારા અલી ખાન
એક ઈન્ટરવ્યૂમાં પેરેન્ટ્સના અલગ થવા અંગે કહી આ વાત
ફિલ્મ લવ આજ કલના પ્રમોશન દરમિયાન સારાને પૂછવામાં આવ્યું કે તેના પર સૌથી વધુ પ્રભાવ કોનો છે. તો તેણે જવાબમાં કહ્યું, હું મારા પિતાથી ખૂબ જ પ્રેમ કરું છું, પણ હું મારી માનું નામ લઈશ, કારણ કે તે સિંગલ પેરેન્ટ છે અને હું તેમની સાથે રહું છું. તેઓ મારી પ્રેરણા અને તાકાત બંને છે. તેઓ મારા મિત્ર પણ છે. હું એટલું જ કહીશ કે મારી મા મારી લાઈફ છે.
સારાને તેના પેરેન્ટ્સ અલગ થવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, હું ભગવાનની આભારી છું કે મારા પેરેન્ટ્સ સાથે નથી. મને નથી લાગતું કે બે લોકો સાથે નથી રહેવા માગતા તેમણે સાથે રહેવું જરૂરી છે. ઘણાં લોકો એવું કહે છે કે, અમે એકબીજાને પસંદ નથી કરતાં પણ બાળકો માટે સાથે રહીએ છીએ. આ વિચારધારા મને સમજાતી નથી.
આગળ સારા કહે છે જો પેરેન્ટ્સ ખુશ ન હોય તો, બાળકો કેમના ખુશ રહી શકે છે. જેમ કે પ્લેનમાં એવું કહેવાય છે કે, પહેલાં પોતાનો માસ્ક પહેરો પછી બીજાની મદદ કરો. જો તમે પોતે ગૂંગળામણ સાથે જીવી રહ્યા છો, તો તમે તમારા બાળકને કેવી રીતે માસ્ક પહેરાવી શકશો? આજે મારી પાસે 1 અનહેપ્પી ઘર નહીં પણ 2 ખુશહાલ ઘર છે.