બ્રેકિંગ ન્યુઝ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
VTV / sanjay raut working on agenda of sharad pawar to cm post claims maha bjp chief
Pravin
Last Updated: 10:43 AM, 22 February 2022
મહારાષ્ટ્ર BJPના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે તાજેતરમાં નિવેદન આપ્યું છે, તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે. પાટિલે સોમવારે દાવો કર્યો હતો કે, શિવસેના સાંસદ સંજય રાઉત NCP પ્રમુખ શરદ પવારના એ એજન્ડા પર કામ કરી રહ્યા છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પદ પરથી હટાવીને રાઉતને તેમના સ્થાને બેસાડવાના છે.
ઉદ્ધવ ઠાકરે અમારા દોસ્ત
ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાન માતોશ્રીના પાયો હચમચાવાના પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે માને કે ન માને, ઉદ્ધવજી અમારા દોસ્ત છે. તે શિવસેના સુપ્રીમ દિવંગત બાલાસાહેબ ઠાકરેના દિકરા છે. અમે કેટલાય વર્ષો સુધી સાથે કામ કર્યું છે.
પાટિલે કહ્યું કે, કોણ છે સંજય રાઉત ?
તે હાલમાં જ શિવસેના આવ્યા હતા અને તે કોને સમજાવી રહ્યા છે ? રાજ્ય ભાજપ અધ્યક્ષ પાટિલે દાવો કર્યો છે કે, અમે ઉદ્ધવજીને કહેવા માગીએ છીએ કે, અમારી સમજણ એવી છે કે, પવાર સાહેબ તરફથી આપવામાં આવેલા એજન્ડા પર રાઉત કામ કરી રહ્યા છે. એજન્ડા આપને મુખ્યમંત્રી પદેથી હટાવાનો છે, કારણ કે, આપે આ પદ પર અઢી વર્ષ પુરા કરી લીધા છે.
રાઉતને મુખ્યમંત્રી બનાવાની કોશિશ ?
પાટિલે કહ્યું કારણ કે સુપ્રિયા સુલેને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં, એટલા માટે પવાર માટે રાઉતને મુખ્યમંત્રી બનાવવું સુલેને બનાવવા બરાબર હશે. પુણેની બારામતીથી લોકસભા સાંસદ સુપ્રીયા સુલે શરદ પવારના દિકરી છે.
વર્ષો જૂનો ભાજપ સાથે નાતો તોડી સરકાર બનાવી
મહારાષ્ટ્રમાં 2019માં વિધાનસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણ થતાં શિવસેનાએ પોતાના લાંબા સમયના સાથી રહેલા ભારતીય જનતા પાર્ટી સાથે નાતો તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીએ, એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સરકાર બનાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert