ગયા વર્ષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નેતૃત્વ પ્રભાવશાળી હતું અને જો આ જ વલણ વર્ષ 2023માં ચાલુ રહેશે તો આગામી સામાન્ય ચૂંટણીઓમાં દેશમાં.........
સંજય રાઉતને આશા, રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ જમાવશે
શિવસેનાને વિશ્વાસ છે કે, 2024માં રાજકીય પરિવર્તન આવી શકે
રાહુલ ગાંધીને માત્ર વધુ સશક્ત બનવાની જરૂર: સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નેતા સંજય રાઉતને આશા છે કે, રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ જમાવશે. શિવસેનાને વિશ્વાસ છે કે, 2024માં રાજકીય પરિવર્તન આવી શકે છે, રાહુલ ગાંધીને માત્ર વધુ સશક્ત બનવાની જરૂર છે. સંજય રાઉતે કહ્યું કે, ગયા વર્ષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નેતૃત્વ પ્રભાવશાળી હતું અને જો આ જ વલણ વર્ષ 2023માં ચાલુ રહેશે તો આગામી સામાન્ય ચૂંટણીઓમાં દેશમાં રાજકીય પરિવર્તન જોવા મળી શકે છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં તેમના સાપ્તાહિક લેખ રોકટોકમાં રાઉતે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહે નફરત અને વિભાજનના બીજ ન વાવવા જોઈએ. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો ઉકેલાઈ ગયો છે, તેથી હવે આ મુદ્દે કોઈ મત માંગી શકાય નહીં. તો શું લવ જેહાદના આ નવા હથિયારનો ઉપયોગ ચૂંટણી જીતવા અને હિંદુઓમાં ભય ફેલાવવા માટે થઈ રહ્યો છે?
2024ની ચૂંટણીમાં ફેરફાર થશે ?
સંજય રાઉતે કહ્યું કે, જે ચાલી રહ્યું છે તે સત્તાની રાજનીતિ છે. હું આશા રાખું છું કે રાહુલ ગાંધીની યાત્રા સફળ થાય અને તેનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય.રાઉતે દાવો કર્યો કે, 2022એ રાહુલ ગાંધીના નેતૃત્વને નવી ચમક અને પ્રભાવ આપ્યો છે. જો આ વલણ 2023 માં ચાલુ રહેશે, તો આપણે 2024 (સામાન્ય ચૂંટણી) માં પરિવર્તન જોશું.
મહત્વનું છે કે, શિવસેનાના મુખપત્ર સામનામાં તેમના સાપ્તાહિક લેખ રોકટોકમાં રાઉતે પોતાના લેખમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદી કહે છે કે, આપણે સંકુચિત વિચારસરણીથી બચવું જોઈએ. પરંતુ હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના શાસનમાં આ વલણ વધ્યું છે. આજના શાસકો વિરોધ પક્ષોના અસ્તિત્વ અને તેમના અધિકારોને સ્વીકારવા માંગતા નથી. રાઉતે દાવો કર્યો હતો કે,.હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે તિરાડ ઊભી કરવાથી નવા વિભાજનની શરૂઆત થશે. તેમણે કહ્યું કે, મોદી અને શાહે નફરત અને ભેદભાવના બીજ ન વાવો જોઈએ.