મહારાષ્ટ્ર / બીજા ભગતસિંહે લોકતંત્રની હત્યા કરીઃ સામનામાં રાજ્યપાલ પર શિવસેનાના પ્રહાર

samna shiv sena governor bhagat singh

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ધમાસાણ રોડથી લઇને સંસદ સુધી જોવા મળી રહ્યું છે. શિવેસનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં એક વાર ફરી ભારતીય જનતા પાર્ટી BJP અને અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે સત્તા માટે આંધળા લોકોએ મહારાષ્ટ્રના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર બજાર લગાવી રાખ્યું છે. એવા લોકો જેને મહારાષ્ટ્રમાં કોઇપણ પ્રકારનો ભાવનાત્મક સંબંધ નથી, તે લોકો શિવાજીના મહારાષ્ટ્રની ઇજ્જત ધૂળમાં મેળવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ