મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ધમાસાણ રોડથી લઇને સંસદ સુધી જોવા મળી રહ્યું છે. શિવેસનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં એક વાર ફરી ભારતીય જનતા પાર્ટી BJP અને અજિત પવાર પર નિશાન સાધ્યું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે સત્તા માટે આંધળા લોકોએ મહારાષ્ટ્રના સ્વાભિમાન અને પ્રતિષ્ઠા પર બજાર લગાવી રાખ્યું છે. એવા લોકો જેને મહારાષ્ટ્રમાં કોઇપણ પ્રકારનો ભાવનાત્મક સંબંધ નથી, તે લોકો શિવાજીના મહારાષ્ટ્રની ઇજ્જત ધૂળમાં મેળવી રહ્યાં છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી સામનામાં ભાજપને ઘેરવામાં આવ્યું
કઇ બહુમતિના આધારે ફડણવીસને શપથ લીધા
ખોટો પત્ર રજૂ કર્યો જેના પર રાજ્યપાલે ભરોસો કર્યો
સામનામાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ગઠન અને નિર્માણમાં આ લોકોએ લોહી તો છોડો પણ પરસેવાનું એક ટીપુ પણ નથી આપ્યું, એવા લોકોએ અહીં રાજકીય ગોટાળા કર્યાં છે. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ આ ત્રણેય પાર્ટીએ મળીને 162 ધારાસભ્ય ને રજૂ કર્યા છે.
આ બધા ધારાસભ્ય રાજભવનમાં રાજ્યપાલ સામે ઉભા રહેવા તૈયાર છે. આટલું સ્પષ્ટ ચિત્ર હોવા છતાં રાજ્યપાલે કઇ બહુમતિના આધાર પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ અપાવી.
રાતના અંધારામાં લોકતંત્રનો વધ
સામનામાં લખવામાં આવ્યું કે આ લોકોએ (દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર) ખોટો પત્ર રજૂ કરી બંધારણના રક્ષક ભગસિંહ નામના રાજ્યપાલે આંખ બંધ કરી તેમના પર વિશ્વાસ કર્યો. પછી ત્રણેય પક્ષોના ધારાસભ્યોએ પોતાના હસ્તાક્ષરવાળો પત્ર સોંપ્યો.
આ પર ભગતસિંહ રાજ્યપાલ મહોદયનું શુ કહેવું છે? એક ભગતસિંહે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા, આ તો આપણે જાણીએ છીએ. જ્યારે બીજા ભગતસિંહે રાતના અંધારામાં લોકતંત્ર અને આઝાદીનો વધ કરી દીધો.
સામનામાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં જે કંઇ પણ થયું તેને ચાણક્યની ચતુરાઇ કે કોશ્યારી સાહેબની હોંશિયારી કહવું ભૂલ હશે. ધારાસભ્યોનું અપહરણ કરી તેમને બીજા રાજ્યમાં લઇ જઇ કેદ રાખવ, આ કેવી ચાણક્ય નીતિ છે?